SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : - સવિ સઢ હંકારે રે, ધન પવન ઉદારે રે, વેગે પ્રવહણ સવિ ચાલે રે, જોયણ ખિણ પ્રતે રે, મગરમચ્છ તે મોટા રે, ફિરતા જિમ જોટા રે, સુસુમારાદિક લિ છોટા, પરસ્પર ઝૂઝતારે રે. ૭ બેઠા બિહું પોતે રે, ઇમ કૌતુક જોતે રે, લંઘ્યો બહુ પંથ મહોતે રે, જલધિમાં સહી રે; દ્વીપ સિંહલે જાવે રે, તે દૂર કહાવે રે, દ્વીપ જક્ષ તિહાં વિચે આવે રે, જલમીઠા જિહાં રે. ૮ તિહાં પ્રવહણ રાખે રે, નિર્યામક, ભાખે રે, સઘલા શેઠની સાખે રે, ઇણિપ૨ે કહે રે; લીધાં જલ નીઠાં રે, ઇણે દ્વીપે મીઠાં રે, જલ ઇંધણ લેવા ઉઠાં રે, પણ પ્રભુ સાંભળો રે. ૯ ઇહાં રાત્ર ન રહીએ રે, રહતા દુઃખ લહીએ રે, જાહ પાપી જે કહીએ રે, દ્વીપ અધિપતિ રે; રાત્રે જસ વાસ રે, મારે જા તાસ રે, તિણે લીજે જલ ગ્રાસ રે, શીઘ્રપણે ઇહાં રહે. ૧૦ ચાલો લેઇ નીર રે અનુકૂલ સમીર રે, તિણે કારણે થાજો વીર-વિજય જિમ પામીયે રે; સુરસુંદરી રાસરે, ખંડ બીજે પ્રકાશે રે, ઢાળ ત્રીજી સરસ વિલાસે રે, ભવિયણ સાંભળો રે. ૧૧ સાગરની સફરે - અમરકુમાર-સુરસુંદરી પરદેશ જવાને માટે તૈયાર થઇ ગયા છે. વહાણને સંભાળનારા ખલાસીઓ, નાવિકો, માલને સંભાળાનાર માણસો, હિસાબકિતાબ રાખનારા મહેતાજી તેમજ નોકર-ચાકર વર્ગ પણ તૈયાર થઇ ગયો છે. સહુને સુખ થાય ને આનંદમંગળને કરનાર એવું શુભ મુહૂર્ત પણ આવી ગયું, જે મુહૂર્ત વિજય નામનું હતું, જે મુહૂર્ત જગમાં વિજય કરનારો થાય. પરદેશ જવાની મનોકામના પૂર્ણ થતાં અમરકુમારના હૈયામાં આનંદ માતો નથી. માતા-પિતા, સ્વજનોને છોડતાં હૈયામાં દુઃખ થાય છે. પણ સામે અવનવી દુનિયાને જોવાનો ઘણો આનંદ થાય છે. હર્ષ-શોક વદનવાળો કુમાર હવે ચંદ્રનાડીમાં પ્રાણવાયુ શ્વાસનો પ્રવેશ થતાં કુમારે પ્રયાણ આદર્યું. પોતાની હવેલીએથી શુભ શુકનને લેતા બહાર નીકળે છે. ચંદ્ર નાડી એટલે ડાબી નાસિકામાં પવન વડે પૂર્ણ વાયુનો પ્રવેશ થાય તો અવશ્ય કાર્યસિદ્ધિ થાય છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૫૭
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy