SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારની સમસ્યાપૂર્તિ - હે સુંદરી! તમારા ત્રણેય અક્ષરનો શબ્દ બને છે પાવડી' કારણકે – પહેલો અક્ષર ‘પા જતાં ‘વડી’ શબ્દ બને છે અને તે લગ્નમાં પહેલી કરાય છે. ‘વ’ જતાં પાડી' શબ્દ બને છે અને એ ઘરના આંગણે હોય તો દુધ-ઘીનું સુખ થાય છે. તથા “ડી” જતાં પાવ' શબ્દ બને છે. તેનો અર્થ ‘પાપ થાય છે અને તે કરવાથી તે દુર્ગતિને દેનાર બને છે. આખો શબ્દ “પાવડી” છે અને તે પગમાં પહેરવાની વસ્તુ છે એ તો સુનિશ્ચિત જ છે. ૪) કુમારીની ચોથી સમસ્યા - ત્રણ અક્ષરનો શબ્દ છે કે જેમાંનો પહેલા અક્ષર બાદ કરતાં બાકીના બે અક્ષરોથી જે શબ્દ બને છે તેવા પાણીને શ્રાવક જન પીએ છે, બીજો અક્ષર જતાં બાકીના પહેલા અને ત્રીજા અક્ષરના યોગથી જે શબ્દ બને છે તેનો અર્થ “જગતનો સંહાર કરનારો થાય છે અને ત્રીજો અક્ષર બાદ કરતાં પહેલા અને બીજા અક્ષરોથી બનતો જે શબ્દ, તેની વાણી કોઇનેય ગમતી નથી. કુમારની સમસ્યા પૂર્તિ - તમારા ત્રણેય અક્ષરોનો શબ્દ “કાગલ” છે. “કા જતાં “ગલ' શબ્દ રહે છે અને શ્રાવક જનો હંમેશા ગાળેલું પાણી જ પીએ છે. “ગ” જતાં “કાલ' શબ્દ બને છે, અને તે જગતનો સંહાર કરનારો છે તે વાત સુપ્રસિદ્ધ છે. તથા લ’ જતા “કાગ રહે, તેની વાણી કર્કશ, સૌ કોઈને અપ્રિય લાગે છે. રાજસભામાં કુમાર અને રાજસુતાની અન્યોન્ય પૂછાએલ પ્રશ્નોત્તરીથી રાજા અને સભાજનો સાંભળી ઘણા આનંદિત થયા. માંહોમાંહે બોલતા હતા કે બંને બાળ બુદ્ધિનિધાન છે. ભણ્યાની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયા. તેમના પંડિતોને પણ ઘણા ઘણા ધન્યવાદ છે, જેઓએ આવા પ્રકારની વિદ્યા આપીને વિદ્યામાં પારંગત બનાવ્યા. હવે રાજા આ અવસરે વિવેકને ધારણ કરીને કુમાર અને કુંવરીને પોતે સમસ્યાઓ પૂછે છે. રાજાની સમસ્યા કુમારની સમસ્યાપૂર્તિ - હે કુમાર! તમારી વિદ્યાને ધન્યવાદ છે. તમને પણ ધન્યવાદ છે. તમારી બુદ્ધિ હોશિયારીપૂર્વક અપાયેલ જવાબોને સાંભળી મને ઘણો જ આનંદ થાય છે. હવે હું તમને બંનેને જે કંઇ સમસ્યા પૂછું છું તેનો પણ તમારી બુદ્ધિથી જવાબ આપજો. સરોવરનો સાર શો!" દાનવ વંશનો વિખ્યાત રાજા કયો? સદાય સૌભાગ્યવતી નારી કઈ? અને મારવાડ દેશના માણસો કયા વેશે ઓળખાય છે? – આ ચારેય પ્રશ્નનો જવાબ એક જ વચન શબ્દમાં આપો. અમરકુમારે તરત જ જવાબ આપ્યો. હે મહારાજ! તે આખોયે શબ્દ “કંબલિશા” છે. કારણકે “ક” અર્થ પાણી થાય છે. જે પાણી સરોવરનો સાર છે. “બલિ' નામનો દાનવંશમાં વિખ્યાત રાજા થયો છે, ‘વેશા' એટલે વેશ્યા એ જ સદા સૌભાગ્યવતી નારી છે, કારણકે તેના અનેક ભોગવનારા હોય છે, એટલે તે સદાય સૌભાગ્યવતી છે. તથા મારવાડના માણસો કાંબળીના વેશથી ઓળખાય છે માટે શબ્દ બને છે કેબલિવેશા. કુમારનો જવાબ સાંભળી રાજા અત્યંત આનંદિત થયા. આવા અગોચર પ્રશ્નના જવાબ સાંભળી કુમારને વિશેષ પ્રકારે માન આપે છે, મનમાં વધારો કરે છે. હવે રાજા કુંવરીને પુછે છે, હે કુંવરી! જે કંઈ પુછું છું મનમાં ધારણ કરી વિચારીને જવાબ આપશો. રાજાએ કુંવરીને પૂછેલી સમસ્યા - કાવ્યનો રસ કયો? ચકવાને દુઃખ દેનાર કોણ? અને અસતી તથા વેશ્યાને કયો પુરુષ પ્રિય હોય છે? આ ત્રણનો એકજ વચને શબ્દ ઉત્તર કહો. પિતાએ પુછેલા ત્રણેય પ્રશ્નોના જવાબ તરત જ રાજકુંવરીએ આપ્યો. હે પિતાજી! તે આખોયે શબ્દ “અત્યમંત” છે. કારણકે – “અસ્થમંત'નો અર્થ અર્થવાળો પણ થાય છે, અને જે કાવ્ય અર્થવિનાનું છે તે કાવ્ય જ નથી. એટલે કાવ્યનો ૩૪ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy