________________
કુમારીની ત્રીજી સમસ્યા પઢમક્ષર વિણ દુર કરે રે, વિવાહ કારણ માંહી; મધ્યક્ષર વિણ આંગણે રે, પય ધૃત-સુખ ઉચ્છહિ રે. કુ. ચિ.૯. અંત્યક્ષર વિણ શબ્દ તે રે, દુરગતિ દાયક હોય; ત્રણે અવયવ મેલજ્યો રે, તે તુમ ચરણે જોય રે. કુ. ચિ. ૧૦
કુમારનો ઉત્તર - પાવડી'
કુમારીની ચોથી સમસ્યા અને કુમારનો ઉત્તર આદિ વિના શ્રાવક જના રે, પીએ ઉદક તે સાર; તેહિજ મધ્યાક્ષર વિનારે, જગ સંહારણ હાર રે. કુ. ચિ. ૧૧. અત્યાર, વિણ તેહની રે, ન ગમે કોઈને રે વાચ; શેઠ-કુમર કહે ઈણિપરે રે, સુણજ્યો “કાગલ’ સાચ રે. કુ. ચિ. ૧૨ ઇણિ અવસર નરપતિ કહે રે, કુમારને ધરિય વિવેક; જો બહુશ્રુત તુમે અભ્યસ્યાં રે, તો અરથ કહો અમ એક કુ. મિ. ૧૩
રાજાએ કુંવરને પુછેલી સમસ્યા તથા તેનો ઉત્તર સાર કિસ્યું સરોવર તણું રે, દાનવ વંશે વિખાય; સદા સુહાગણ મનરા રે, વેશ કીયે ઓળખાય રે. કુ. ચિ. ૧૪ એક વયણે એહનો રે, ઉત્તર દીએ ધરી નેહ અમરકુમાર કહે નૃપ સુણો રે, “કંબલિવેશા તેહરે. નૃપ!અવધારજો. ૧૫ માન દિએ નૃપ અતિ ઘણું રે, નિસુણી શાસ્ત્ર વિચાર સુરસુંદરી પ્રતિ નૃપ કહે રે, કહો અમ અરથ ઉદાર રે. સુ. ચિ. ૧૬
રાજાએ પુછેલી કુમારીને સમસ્યા તથા તેનો ઉત્તર કાવ્ય તણો કહો રસ કિસ્યો રે, ચકવાને દુઃખદાય; કુણ અસતી પ્રિય નર કીયો રે, વેશ્યા ચિત્ત સુહાય રે. સુ. ચિ. ૧૭ એ કે વયણે એહનો રે, ઉત્તર ઇણિ પરે થાય; કુમરી કહે સુણજો પિતા રે, “અત્યમંત” કહાય રે. નૃપ. અવ. ૧૮
ઉO
(મહાસતી શ્રી સુરસુંદરીનો રસ)