________________
ધર્મ થાનક ધન વાવરુ રે લો, પાળુ દયા કરું પાત્ર રે, છ. દીન દુઃખીને સુખ દીઉં રે લો, પોષે પ્રેમે સુપાત્ર રે. છ. જીવ ૧૨
કુંજર બેસી વનાંતરે રે લો, ક્રીડા કરું સસનેહ રે, છ. દોહદ ઈષ્ટ જે ઉપજે રે લો, પૂવે રાજા તેહ રે, છ. જી. ૧૩ ગરભ અધમ જબ ઉપજે રે લો, તક્ર wદધિ પશીત અન્ન રે, છ. ચોરી કરીને ચાખવા રે લો, માતાનું હોય મન રે. છ. જી. ૧૪ નેવાં ઇંટ કલિહાલા ભખે રે લો, પાપીનો કરે સંગ રે, છ. ક્રોધ કરે મિથ્યા વદે રે લો, પરનિદામાં રંગ રે, છ. જી. ૧૫ દેવ ગુરુ પણ નવિ ગમે રે લો, કલહ કરે દિન રાત રે, છ. એ સઘળાં કરે પ્રીતશું રે લો, જીવ અધમની માત રે. છ . જી. ૧૬ માસ પૂરણે રતિસુંદરી રે લો, જનમી પુત્રી અનુપ રે, છ. નામ ધર્યું સુરસુંદરી રે, લો સુરસુંદરી સમ રુપ રે.છ. જી. ૧૭ સુરસુંદરીના રાસની રે લો, એ કહી બીજી ઢાળ રે, છ.
વિર કહે શ્રોતા સુણોરે લો, ઉચ્છક થઈ ઉજમાલરે. છ. જી. ૧૮ ૧-પૃથ્વી રૂપી સ્ત્રી, ર-સોગટી, ૩- ચોટલા, ૪-તેલ મસળનાર, પ-હાથી, ૬-ઝાંઝર, ૭-તોપ, ૮-જ્ઞાતિ, ૯- કરવેરો નહિ, ૧૦-ઈન્દ્રાણી, ૧૧-પાણીને માછલું, ૧૨-હાથી, ૧૩-છાશ, ૧૪-દહીં ૧પ-ઠંડુ; ટાઢું, ૧૬-કોલસા, ૧૭-દેવાંગના; અપ્સરા, ૧૮-ઉત્સુક ભાવાર્થ :
ચંપાનગરીની ભવ્યતા ચૌદ રાજલોક પ્રમાણ ત્રણ લોકના મધ્યમાં તિર્થાલોક રહેલો છે. આ તિર્થાલોક લાંબો પહોળો એક એક રાજ પ્રમાણે છે અને ઉર્ધ્વ અધો મળી ને ૧૮00 યોજન પ્રમાણ છે. તેના મધ્યમાં જંબૂ વૃક્ષથી શોભતો, એક લાખ જોજન પ્રમાણવાળો, જંબુ નામો દ્વીપ રહેલો છે. આ દ્વીપ થાળીની જેમ રહેલો છે. તેની ફરતાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રી વર્તુળાકારે બધા વલયાકારે રહેલાં છે. આ દ્વીપની પરિધિ ત્રણ લાખથી અધિક જોજનની રહેલી છે. તે
આ જંબુદ્વીપમાં સાત મોટા ક્ષેત્રો રહેલા છે. મધ્યમાં મેરુ પર્વત છે અને છ વર્ષધર પર્વતો છે. આ દ્વીપની દક્ષિણ દિશાને છેડે અષ્ટમીના ચંદ્રની આકૃતિવાળુ ભરત નામે ક્ષેત્ર છે. તે સિદ્ધાચળ મહાતીર્થના સદ્ભાવવાળુ હોવાથી સર્વક્ષેત્રોમાં અગ્રપદ ભોગવે છે. આ ક્ષેત્ર ઋદ્ધિ સિદ્ધિ થી ભરપૂર છે. આ ક્ષેત્રની અંદર ૩૨૦૦૦ દેશો છે. તેમાં માત્ર સાડી પચ્ચીસ દેશ આર્ય છે. બીજા અનાર્ય છે. ભરત ક્ષેત્રના છ ખંડ પૈકી દક્ષિણ બાજુના મધ્યખંડમાં પૂર્વ બાજુનો પ્રદેશ ઘણો રળિયામણો છે. આ રળિયામણા પ્રદેશોમાં જિનેશ્વર ભગવંતો અવતાર લે છે. કેવલજ્ઞાન પણ આ ભૂમિમાં પ્રાપ્ત કરે છે.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)