________________
દેવો સહિત ૬૪ ઇન્દ્રો પુરિમતાલ નગરી આવ્યા. સમવસરણની રચના કરી. પરમાત્મા સિંહાસન પર બિરાજ્યા. સાક્ષાત્ જાણે બીજો સૂર્ય ઉદય પામ્યો હોય તેવા પરમાત્મા આઠ પ્રાતિહાર્યોથી શોભતા હતા. સમવસરણમાં બેસી પરમાત્માએ ભવ્ય જીવોના કલ્યાણ કરનારી એવી દેશના આપી, જેથી અનેક જીવો ધર્મની આરાધના કરી સિદ્ધિ પદ પામ્યા. પ્રથમ તો પરમાત્માએ પોતાની માતાને શિવસુંદરી જોવા મોકલી.
ત્યાર બાદ ૧ લાખ પૂર્વ દિશામાં રહેલા પ્રભુ પોષ વદ ૧૩ના રોજ નિર્વાણ પામ્યા. સકલકર્મનો ક્ષય કરી મોક્ષપદને પામ્યા. જે હાલ પર્વ પ્રવર્યું છે તે મેરુ તેરસ. આદિને કરનાર પ્રભુ સાદિ અનંત ભાંગે સિદ્ધ થયા. આવા પરમાત્મા તે સર્વ જીવોને, સજ્જનને, સુખ આપનારા, ધર્મની આદિ – શરુઆત કરી. માટે આદિનાથ – પણ કહેવાયા.
પરમાત્માએ દાન, શીલ, તપ, ભાવના, સંયમ, વિરતિ, અવિરતિ, આદિ સ્વરુપે ધર્મને પ્રકાશ્યો. જે ધર્મની આરાધના વડે આત્મા પુષ્ટ બને છે. આદિ નથી જેની એવા મંત્રાધિરાજ શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન જે ભવ્યજીવો ચિત્તમાં ધારણ કરે , છે તેઓ આ ભવ પરભવ સુખ સંપદાને પામે છે. પરંપરાએ મોક્ષ સંપદાને પણ મેળવે છે.
આ મહામંત્ર પંચપરમેષ્ઠી સ્વરૂપ શ્રી નમસ્કાર મંત્રની આરાધના મહાસતી સુરસુંદરીએ પોતાના જીવનમાં કરી. જેના પ્રભાવે પોતાને આવેલ કષ્ટો દૂર થયા. આ મહાસતી સુરસુંદરીનો રાસ, તેના પ્રથમ ખંડ, પહેલી ઢાળ સમાપ્ત કરતાં રાસ કર્તા વીરવિજય મ. સા. કહે છે કે હે ભવ્ય જીવો! સાવધાન થઈને સાંભળો.
પ્રથમ ખંડે પ્રથમ ઢાળ સમાપ્ત
(દોહરા) કવણ સતી સુરસુંદરી, કિમ રાખ્યું તિણે શીલ; પરમેષ્ઠી મહિમા થકી, કિમ મસા પામી લીલ. ૧ કવણ દેશ માતા પિતા, સા કુણ પુણ્ય પવિત્રા;
શ્રવણ કરી થિર સાંભળો, શ્રોતા તાસ ચરિત્રા. ૨ ૧-સુરસુંદરી ભાવાર્થ : હે ગુરુભગવંત! મહાસતી સુરસુંદરી કોણ? ભયંકર સંકટો વચ્ચે આ મહાસતીએ શીલનું રક્ષણ કેવી રીતે કર્યું? વળી તે સતીના જીવનમાં પરમેષ્ઠી રુપ-નમસ્કાર મહામંત્રના પ્રભાવથી લીલ-વિલાસને કઈ રીતે પામી? મહાસતીના માતાપિતા કોણ? ક્યા દેશમાં વસનારી? કેવા પુણ્યના ઉદયથી આ બધુ પામી? કૃપા કરીને આ મહાસતી સુરસુંદરીનો સવિસ્તાર વૃત્તાંત પ્રકાશો? અમને સૌને સતીના ચરિત્રને સાંભળવાની ઘણી ઉત્સુકતા છે.
શ્રોતાવર્ગની વાત સાંભળીને ગુરુભગવંત કહે છે તે શ્રોતાજનો! તે મહાસતીના ચરિત્રને કહું છું. તમે સૌ મનસ્થિર કરીને સાંભળો!
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)