________________
સાચવજે. વધારે શું કહું? સાસર-પિયર બંનેની શોભા વધે તે રીતે રહેજે. આટલું બોલતાં બોલતાં ગુણવતી રાણી ઘૂસકે ધ્રુસકે રડી સુરસુંદરી રાજમાતાને આશ્વાસન આપતાં કહે છે મા! તમારી દીકરીની ચિંતા ન કરશો આટલું બોલતાં સતી પણ ગળગળી થઇ ગઇ. આગળ કંઈ ન બોલી શકી.
ગુણપાલ મહારાજ પાસે ગુણમંજરી પહોંચી. પિતાને ગુણમંજરી વળગી પડી ને રડવા લાગી. રાજા કંઇ જ ન બોલી શક્યા. અમરકુમારને કહેવા લાગ્યા. કુમાર! મારી દીકરી સોંપું છું. ક્યારેય છેહ ન દેશો. વળી સતી સુરસુંદરીને પણ કહ્યું:- મારી દીકરી તારા ખોળે છે. તમે બંને તેને સાચવજો.
સુરસુંદરીના રાસની ચોથા ખંડની બારમી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ કહે છે કે ગુણરુપી પેટી હિતશિક્ષાથી ભરેલી આ ઢાળ છે. જે સ્ત્રી આ હિતશિક્ષાને ગ્રહણ કરશે તે સ્ત્રી આ જગતમાં યશ, શુભ અને સારા સુખને મેળવશે.
ચતુર્થ ખંડે બારમી ઢાળ સમાપ્ત
*
(દોહરા) પરહથ દીધી દીકરી, પિહરમાં ન રખાય; નયણાં આંસુ જલભરી, હિયું ભરાએ માય. ૧ વહુ પિયર નર સાસરે, સં જમીયા સહવાસ; એ તાં હો એ અલખામણાં, જો મંડે થીર વાસ. ૨ કહે ગુણપાલ સતી પ્રતે, તમ વિયોગ દુઃખ દાય; મુઝ નગરી જન સુખ થયો, તે સવિ તુમ્હ પસાય. ૩ લીંબાદિક ચંદન ભયા, મલયાચલની પાસ; દુર્જન તે સજજન હુવે, ઉત્તમ સંગ નિવાસ. ૪ ઉત્તમ સરસી ગોઠડી, ઉત્તમશું સંયોગ; પુન્યહ વિણ નવિ પામીયે, શ્યો કીજે મન સોગ. ૫ હંસ ચાલતો પરખીયે, સરિતા નીર વહેત; હે મ કસોટી પરખીયે, માણસ વાત કરું ત. ૬ હૃદયાત્યંતર દવ બલે, બાહિર ધૂમ ન હોય; કરતાં કીધો નેહડો, હવે કિમ જાગ્યે સોય. ૭ ઇમ કહી વોલાવી વલ્યાં, પિહરીયા પરિવાર;
જોતાં ને રોતાં વહ્યાં, સીંચે આંસુ ધાર. ૮ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૨૮૧)