SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્યા છે. સર્પ ટળીફૂલ ની માળા થાય છે. આવી અપૂર્વ આરાધના કરનારનો આ ભવ ને પરભવ સુધરી જાય છે. મહાસુખી થાય છે. એની આરાધનાએ જ મારા જીવનમાં કંઇક મેળવી શકી. સુરસુંદરી અમરકુમાર મહારાજને પગે લાગ્યા. વહાલસોયી દીકરી પોતાની જાણે ન હોય તેવા પ્રકારના ભાવો મહારાજના હૈયામાં જાગ્યા. ને તેથી દીકરી જમાઇને આશીર્વાદ આપ્યા. પછી પોતાના મહેલે રાજા પધાર્યા. 46 સુરસુંદરી અમરકુમારની રજા લઇને રાજયના કામ પતાવવા અને ગુણમંજરી ને મળવા રાજદરબારે પહોંચી ગઇ છે. રાજના મહાલયના વિશાળ ઉદ્યાનમાં ગુણપાલ રાજાની પાસે, સુરસુંદરી ગુણમંજરીને લઇને આવી છે. ગુણમંજરીને માથે તો જાણે આભ તૂટી પડયું હોય તેવી હાલત થઇ ગઇ હતી. વિમલયશની સાથે લગ્ન થયાને આ તો વિમલા નીકળી. હવે શું કરીશ? ભારે વિમાસણમાં બેઠી છે. સુરસુંદરી પોતાનો ઇતિહાસ ગુણમંજરીને કહી રહી છે. મહારાજ તે બંનેને એકાંત મળે તે માટે ત્યાંથી ઊભા થઇ ગયા. સુરસુંદરીની દુઃખ ભરેલી વાતો સાંભળતાં ગુણમંજરી ધ્રૂજી ઊઠે છે. ‘“અહો! શું એક નારીએ આટલાં બધાં દુ:ખ સહન કર્યા. કુસુમથીયે કોમળ નારીએ આટલા કષ્ટો સહન કર્યા? સુરસુંદરીએ પોતાની જીવનની કરુણ કહાની સંભળાવી. પછી ગુણમંજરીને કહ્યું:- ગુણ? હવે મારી વાતો સાંભળી ને તારા મનને સંતોષ થયોને? ગુણમંજરી કહેઃ- “ જાઓ નહિ તો'' આવું તે કાંઇ હોતું હશે! હું તમારા પ્રેમમા પાગલ બનીને સ્વપ્નાં સેવતી રહી. બસ, શું તમે પ્રેમ આવો જ રાખ્યો હતો? આ શું પ્રેમ કહેવાય! તમે દગો કરો ને ભોગ હું બનું? હવે શું કરું! સુરસુંદરી કહે- પેલા મહાચોરને વિસરી ગઇ કે શું? તારા જીવનનો ભોગ તો ત્યાં જ થવાનો હતો. ગુણઃ- પરંતુ એ સમયે મને મારા વિમલ ઉપર વિશ્વાસ હતો. સુરઃ- તો અત્યારે? ગુણમંજરી :- ત્યારે મને શું ખબર કે તમે કોણ હતા? આવો ક્રુર પરિહાસ તો કોઇ ન કરે? સુરસુંદરી કહેઃ- બધી વાત તો ઠીક! પણ તું તો મારી જીતાયેલી વસ્તુ છે. અર્ધા રાજ સાથે તું પણ મારી બની છે. મારી આજ્ઞા માનવી પડશે. ગુણમંજરીઃ- વળી કઇ આજ્ઞા! આવા ને આવા એમાંયે કોઇ છળકપટ હશે? સુરસુંદરી- ના! મેં તને એકવાર કહ્યું હતું કે આપણે બંને સમાન છીએ. અને સમાન ભાવે જીવંતપર્યંત સાથે રહીશું.છે ને મારી વાત યાદ. ગુણમંજરી : એટલે? સુરસુંદરી :- તે મારી સાથે લગ્ન કર્યા છે. ગુણમંજરીઃ- મેં તમારી સાથે લગ્ન કર્યા નથી. સુર- હં! વિમલયશ સાથે કર્યા છે. હું ફરીથી વિમલયશ બની જાવું? ગુણમંજરીઃ- તો પણ હવે હું તમારી પત્ની નથી. સુરસુંદરીઃ- તો મારી બહેન તો ખરી. ગુણમંજરી કહેઃ- તેમાં મારો વિરોધ નથી. સુરસુંદરી કહે ઃતો પછી તારો અને મારો એક પ્રિયતમ ‘અમર’’ નાં ચરણે મારું હૈયું બિછાવું છું તે અમરના ચરણે તું તારું હૈયું પણ બિછાવજે. કેમ બરાબરને! સુરસુંદરીએ ગુણમંજરીને મનાવી લીધી. રાજમહેલથી નીકળીને સુરસુંદરી સીધી અમરકુમાર પાસે પહોંચી ગઇ. અમરને બધી વાત કરી. અમર કહેઃ- મારી રજા વિના બીજા રતને શા માટે ગોતી આવી? સુર કહેઃ- મંજરી વિમલયશની પત્ની હતી. આ સિવાય બીજો રસ્તો નથી. આપણું પ્રેમ-મંદિર કંઇ સાંકડું નથી. મારી સાથે મારી એક બહેન હોય તો મને પણ આનંદ કેટલો? તમે મારી આટલી વાત શું ન સ્વીકારી શકો? અમર હારી ગયો. જવાબ દેવાને માટે શબ્દો ન જડયા. મનથી સતીને વંદી રહયો હતો. મનમાં વિચારતો હતો હે સુર! તું મારા જીવનની ભાગ્ય વિધાતા છે. ખરેખર! નારી સ્વભાવની ઉદાર પ્રતિમા છે. સુરસુંદરીએ રાજા ગુણપાલને વાત કરી. અને ગુણસુંદરીના લગ્ન અમરની સાથે ભવ્ય અને મોટા ઠાઠથી કર્યા. આજે સુરસુંદરી નિસ્પૃહ બનીને પ્રમોદભાવથી આનંદ અનુભવવા લાગી. કલ્પના કરી જુઓ- આ સહેલું છે? સ્ત્રી શોકયને સહન કરી શકે? ગુણમંજરી પિતાને માતાને પગે લાગી. સુરસુંદરીને પગે લાગતાં સુરે આશીર્વાદ આપતાં કહ્યું કે-વિમલયશની પ્રયતમા! પ્રેમ અને હૈયાની ઉદારતાં હંમેશા જાળવી રાખજે.'' મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૭૯)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy