________________
શ્રેષ્ઠી મારા પિતા છે. આ નગરની રાજાની કુંવરી તે મારી ધર્મપત્ની. અમે બંને બાલ્યકાળમાં ગરકલવાસમાં સાથે ભણતા, રમતાં, વો રિસાતાં અને એક બીજાને મનાવતાં હતાં. પણ કોઇક વાતથી મારા ચિત્તમાં રાજસુતા ઉપર ડંખ રહી ગયો. યાવનના પ્રાંગણે આવ્યા. જોગાનુજોગ અમારા લગ્ન થયા. વિમલ કહે:- મિત્ર! આપના લગ્ન થયા છે? અમરકુમારે કહ્યું :- હા! હું પરિણીત છું. વિમલ કહેઃ-વિયોગનો અનુભવ કદી કર્યો છે? અમર - ‘હા’. તો સારું. મારી વેદનાને સમજી શકશો. તો હવે સાંભળો.
રાજસુતાનું નામ સુરસુંદરી હતું. નામ પ્રમાણે રુપ-ગુણ હતાં. મારા પ્રેમ મંદિરની પ્રતિમા હતી. હું તેનો પૂજારી હતો. આજે પણ મારી સ્નેહમયી પત્નીને ભૂલી નહિ શકું. એક વખત મારી ઇચ્છા વિદેશયાત્રા કરવાની થઇ. માતાપિતાની ઇચ્છા ન હોવા છતાં પરાણે રજા મેળવી. મારી પત્નીએ મારી સાથે આવવાની હઠ કરી. હું તેની ઇચ્છાને આધીન થયો. મારી સાથે સમુદ્રન , જંગલના કષ્ટો હસતા મુખે સહન કરવા તૈયાર થઇ. અમારો પ્રવાસ શરુ થયો. પ્રવાસમાં ઘણા તોફાનો અનુભવ્યાં એ સમયે મારું આશ્વાસન મારી પત્ની જ હતી. સમુદ્ર વાટે વહાણો જઇ રહયા હતાં. ઇધણ પાણીની જરુરીયાત માટે વચમાં આવતાં નિર્જન યક્ષદ્વીપે અમારા વહાણો લાંગર્યા. નિર્માનુષ દ્વીપમાં મારી આશાનું મૃત્યુ થશે એવી કલ્પના પણ નહોતી. દીપનું સૌંદર્ય જોતાં એક વૃક્ષની શીતળ છાયામાં અમે બંને બેઠા. મારી પ્રિય પત્ની મારા ખોળામાં નિર્ભય રીતે સુતી હતી. ‘મિત્ર વિમલયશ!”.. તમને શું કહું? આટલું કહેતાં અમરકુમારે નિઃશ્વાસ નાખ્યો. હું એકલો પડયો. મન અવળચંડું ભૂતકાળમાં ચાલ્યું ગયું. બાલ્યવયની વાત યાદ આવી. ભારેલા અગ્નિની જેમ હૃદયના ખૂણામાં પડેલો પેલા ડંખ યાદ આવી ગયો. એ મારા હૃદયમાં ભરડાની જેમ જાગૃત થયો. આટલું કહેતાં તો અમરનું હૈયું ભરાઈ ગયું. હું નર મટી પિશાચ બન્યો. મિત્ર! શું કહું! આટલું બોલતાં નરકુમારે વિમલયશના બે હાથ પકડી લીધા. વિમલયશ પણ અમરની સામે જોઈ શકતો નથી. તેણે બીજી દિશામાં જોયું. આજ એનું દિલ પણ રડતું હતું. તે વિમલયશ શેઠ! મારા જેવો ક્રુ અને વિશ્વાસ ઘાતક પુરુષ આ સંસારમાં કોઈ નહિ હોય. નાની શી વાત સાતકોડીમાં રાજ મળે. આ શબ્દો મારા હૈયામાં વાગ્યા હતા. મારા સળગતા હૈયે, બદલો લેવાનો, વેર વાળવાનો નિર્ણય કરી લીધો. સૂતેલી નારીના આંચળે સાત કોડી બાંધી દીધી. અને લખ્યું કે “સાત કોડી થી રાજ મેળવજે.' મેં શું કર્યુ? તેનો વિવેક હું વિસરી ગયો. ને તેને એકલા મૂકીને હું ત્યાંથી ભાગી ગયો. આટલું કહેતા તેનું હૃદય ભરાઇ આવ્યું. વિમલયશના હૈયામાં પણ ખળભળાટ મચી ગયો. સ્વસ્થ થતા અમરને પ્રશ્ન પૂછ્યો કે “તમે તમારી પત્નીને છોડીને એકલા આવ્યા ત્યારે વહાણવટી વગેરેએ તમને કશું ન કહ્યું? અમર કહે - કહું છું ધીરજ રાખો. “મને જયારે મુનિમજી વગેરેએ પૂછયું ત્યારે મેં કહ્યું કે “તેને ય ઉપાડી ગયો છે." રે મિત્ર! મને દયા ન આવી. કે તે અબળાનું શું થશે? તત્કાળ વહાણો લઇને ચાલતો થઈ ગયો. પછી મને ઘણો જ પસ્તાવો થવા લાગ્યો. રે! બિચારી અબળા! એ નિર્જન ટાપુ ઉપર શું થયું હશે? તે વેળાએ મને આવી કુબુદ્ધિ કયાં સુઝી? મેં ભયંકર કૃત્ય કરી નાખ્યું. અમર ચોધાર આંસુએ રડી રહયો છે. વિમલયશ કહે - ત્યારે તમને જરાયે દયા ન આવી. નાની વાતમાં આવડી મોટી સજા કરી બેઠા. અમર કહે- મિત્ર! હું ત્યારે નરાધમ થઇ ગયો હતો. મને કંઈ જ ન સુઝયું. એના વિરહમાં ઝૂરી રહયો છું. આંસુ એ મારો ઇતિહાસનો વિસામો છે. મૃત્યુને ભેટવાની મારી ઇચ્છા હતી. તે પણ પૂર્ણ ન થઇ. આટલું બોલતાં ગળે ડૂમો ભરાઇ ગયો. અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.
બોલ્યો - રે મિત્ર! હું તો વિશ્વાસઘાતી બન્યો. મારા હાથે મારી સ્ત્રીને મારી નાંખી. મેં સ્ત્રી હત્યાનું પાપ વહોર્યું છે. આ સઘળા કરેલા પાપો મારા અત્યારે ઉદયમાં આવ્યા છે. વધારે શું કહું? પણ આ અભાગીને તમે રોકી રાખ્યો. આ કથા કહેતાં અમરની આંખમાં અને સાંભળતાં વિમલયશની આંખમાં આંસુ વહેવા લાગ્યાં. સ્વસ્થ થઇને વિમલયશ કહે છે- મિત્ર! તમારી કરુણ કહાની મારા હૃદયને પીગળાવી રહી છે. શેઠ! તમારી સ્ત્રી રુપે રંગે કેવી હતી? (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
(૨૧)