________________
તમે નવજવાન છો- તેથી પ્રેમાળ પત્નીને મળવાની ઝંખના તમારા પ્રાણને મુંઝવી રહી લાગે છે? ચાલો! જે હોય તે પણ હું તો તરંગી પુરુષ છું... પણ.. હા.. તમારી મુકિતનો એક વિચિત્ર માર્ગ દેખાય છે. અમરકુમારના હૃદયમાં પત્ની સંબધનો પ્રશ્ન હૈયા સોસરવો નીકળી ગયો તેનો જવાબ તે આપી શકતો નથી. પણ આટલા જવાબ આપ્યો :- મુકિત? અહીંથી છૂટા થવાય તેનો માર્ગ કૃપા કરીને બતાવો. વિમલ કહે- શરત વિચિત્ર છે- અમર કહે - ભલે વિચિત્ર હોય પણ મને તો તે કબૂલ છે:
વિમલયશ ગંભ ૨ થઇ ને કહ્યું - “ જુઓ મિત્ર! હું ઘણા વખતથી ભયંકર દર્દથી પીડાવું છું. તે દર્દને દૂર કરવા મેં ઘણા વૈદ્યને બતાવ્યું તેમાં એક વયોવૃદ્ધ અનુભવી વૈધે કહ્યું - તમારા તળિયામાં સવાશેર ગાયનું ઘી કોઇ ઘસી આપે તો તમાર દર્દ મટે. બે લો શેઠ! મારી શરત મંજૂર છે? ઘી ઘસી આપશો! જો ઘી ઘસી આપશો તો તમને તરત છૂટી આપવામાં આવશે. વળી જકાત પણ માફ કરી દેવામાં આવશે. અમર કહે- તમારી આ સામાન્ય શરત મને મંજુર છે. કહો ક્યારે ઘી ઘસવા બેસું? વિમલયશ કહે - અત્યારે જ તમારી શરતને પૂરી કરી શકો છો! અમર ઘી ઘસવા માટે તૈયાર થયો. વિમલની બધી જ શરતને મંજુર કરી વિમલશે તરત દાસી દ્વારા સવાશેર ઘી મંગાવ્યું. અને પોતે પથારીમાં બેસી ગયો. વાટકીથી ઘી ઘસવા લાગ્યો.
ઘી ઘસે અમરકુમાર, (સુરસુંદરી) વિમલયશ મનમાં મલકાય (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)