________________
તિહું જણ સુણી ક્રોધારૂણ થયાંજી, સૂતાં રયણી મઝાર રે; ભીમ-તણું મુખ સુંધવાજી, માય આવી તિણિવાર રે. અ. ૩૦ નીચી પડી મુખ સુંઘવાજી, ભીત ભક્ષણ દીધો દંડ રે; ભીમ-વધૂ પણ સાસુ ઉપરેજી, દેતી દંડ પ્રચંડ રે. અ. ૩૧ મારામરી કરતાં સહુજી, નીસર્યાઘરથી બાર રે; યોગી તદા અનુ પેસીનેજી, લૂંટી ગયો ઘરબાર રે. અ. ૩૨ સુરસુંદરીના રાસનોજી,ચોથો ખંડ ૨સાલ રે; વીર કહે જન કૈાતુકીજી, સુણજો પંચમી ઢાળ રે. અ. ૩૩
૧-આજીવિકાર્થે
ભાવાર્થ :
ચોરે સમાચાર મેળવી લીધા. નગરમાં વસતા દિગંબર શ્રાવક વિમલકીર્તિએ મને પકડવા બીડું લીધું છે. ગર્વથી પોતાની મૂછને આમળતો સ્વગત બોલે છે. વાણિયો મને કેવો પકડે છે.! ખરેખર! ચોરની મતિ વિચિત્ર છે. જે ગતિને કોઇ કળી શકતું નથી. અગમગતિવાળો છે.નગરમાં મોટો ઉત્પાત મચી ગયો છે. જે બીડું પકડે છે તેનું ઘર માલ-મિલકત આદિ બધું લૂંટાઇ જાય છે. વિમલકીર્તિએ સાહસ કર્યુ છે. ચોરને પકડવા કેવો ઉપાય કરે છે? વિચારે છે આ બાજુ ચોર પ્રખ્યાત એવા શ્રાવકનું રુપ ધરીને પોતાના ઘરેથી નીકળી વિમલકીર્તિ પાસે આવે છે. શ્રાવકપણાના વેશમાં નગરમાં જયાં દિગંબર વિમલકીર્તિનો મઠ છે ત્યાં આવ્યો. વિમલકીર્તિને પ્રણામ કરીને બેઠો. વિમલકીર્તિ એ પણ સામે પ્રણામ કરવા હાથ જોડયા. પોતાના ઘરે સાધર્મિક શ્રાવક આવ્યો છે. તેથી તેનું ઐચિત્ય સાચવે છે. વિવેકી વિનયથી આગંતુક શ્રાવકને નામ પૂછે છે. ચોર પોતાનું નામ શ્રાવક ધર્મબુદ્ધિ કહે છે. વિમલકીર્તિ પૂછવા લાગ્યો- હે શ્રેષ્ઠી! આપ કયાંથી પધાર્યા? કયા કા૨ણે આપનું આગમન મારે ત્યાં? મારા લાયક કામકાજ હોય તો જણાવો. ધર્મબુદ્ધિ શ્રાવક કહે છેઃ- શેઠજી! મારી એક વાત સાંભળો. હું પરદેશી છુ. બહુ દૂરથી આ તરફ આવ્યો છું. આ પેટનો અર્થી હું આજીવિકાને માટે દેશ પરદેશ રખડું છું. ઘણાં માણસો ની સેવા કરી. પણ મારા પેટ પુરતું અન્ન મળતું નથી. ધનને માટે ઘણી મહેનત કરવા છતાં મને મળતું નથી. મારા પૂર્વના અશુભ કર્મના કારણે મેં કંઇ જ મેળવ્યું નથી. ઘણી મહેનત કરવા છતાં હું કંઇ પામતો નથી. છંદ :
હે સ્વામી આ પાપી પેટ માટે મેં શું શું ન કર્યું? અર્થાત્ બધું જ કરી છૂટયો. અમૂલ્ય મારું શિર મેં કેટલાય આગળ નમાવ્યું. કેટલાકને સ્વામી બનાવી હું સેવક બન્યો. કોઇકવાર શૂરવીર યોદ્ધો બની લડયો. પંડિત બની કંઇક ને મેં રીઝવ્યા. કેટલીકવાર દીન-ગરીબ બનીને દીન વચનો બોલ્યો. કેટલીકવાર સાગર કિનારે દોડયો. પેટ ખાત૨ કોઇકવાર કૂવાકાંઠે પાણીથી પેટ ભર્યું. આ પેટે મને કયાં કયાં નચવ્યો નથી? એજ મારા માટે આશ્ચર્યની વાત છે.
હે શેઠજી! તે કારણે ફરી મને આ સંસાર અસાર લાગ્યો. આ ભવથી મને વૈરાગ્ય પ્રગટ્યો છે. શ્રાવક મારું કુલ છે. હવે આ સંસારમાં મારે રહેવું નથી.હું તો તમારી પાસે આવ્યો છું. મારા પુણ્ય યોગે તમારો યોગ મને મળી ગયો. આ સંસારની ભોગ સામગ્રી આ જીવને અનંતાવાર મળી છે. તો પણ તૃપ્ત થયો નથી. તેથી હવે આ સંસાર છોડીને આપની
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
(૨૩૭)