SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ બેન! તું ગુણીયલ છે. તેથી તો નમસ્કરણીય છે. વળી ક્ષમાની મૂર્તિ છે. સુવર્ણ કરતાં વધારે ચમકે છે. મારા સ્વજનો આવા છે જે મારા હૃદય કમલમાં વસ્યા છે. તેમાં તારો વધારો તું પણ મારા મનમાં વસી છે. ક્યારેય વિસરી શકાય તેમ નથી. રે બેન! આવા સ્વજનો વિસર્યા વિસરાતા નથી તેના સ્મરણમાં અમારું અંતર આજે દાઝયા કરે છે. આવા પ્રકારનાં સ્વજનો હૈયામાં એવા વસી ગયા છે, જેની યાદમાં અમે ઝર્યા કરીએ છીએ. આવા સ્વજનો દૂર ગયે છતે સ્વપનમાં કયારેય આવીને મળી જાય છે. ત્યારે આનંદ થાય છે. પણ જાગીને જોતાં સ્વજન ન મળતા ત્યારે પારાવાર દુઃખ થાય છે. તે બેની! તું તો આજથી વિદેશમાં વસનારી, અને હું કયાં રહેનારો આજ થી હવે તું ક્યાં વસવાની. મને આ રીતે નિરાશ મૂકીને જવાની છે ભલે જા પણ આ ભાઈ ને ભૂલી ન જતી. આ દેહમાં જયાં સુધી શ્વાસોશ્વાસ હશે ત્યાં સુધી હું તને કયારેય પણ વિસરીશ નહિ. તું થોડું બોલનારી અને ઘણું સહન કરનારી છે. બેન તમે મનમાં પણ કયારેય અમારા પ્રત્યે રીસ કરી નથી ગુણિયલ બેન! તારા સરીખા સ્વજન ક્યારે મળે. કિરતાર સંતુષ્ટ હોય તો જ મળે છે. બાકી ન મળે. હે ભગિની! તારું મુખ દેખી અમે સૌ આનંદ પામતાં હતા. તારું મુખ દેખતાં માનસિક હામ હિંમત પણ આવી હતી. અમારે ત્યાં તારા આવવા વડે કરીને અમારા રાજ્યના મહેલના બધા કામો મૂકીને તારી સાથે જિનમંદિરે જિનેશ્વરના દર્શન કરવા અમે સૌ નીકળી પડતાં. જમવાની વેળાએ તો કયારેય તને ભૂલીશું નહિ. ભોજન કરતી વખત સૌ એકબીજા સૌ પોત પોતાના મનની કેવી વાતો કરતાં હતાં. હવે આવી વાતો કયાં જઈને કરીશું? જે દિનથી તું આવી છે તે દિનથી આજ સુધી મેં કયારેય એકલાં ભોજન કર્યું નથી. હવે હું કોની સાથે ભોજન કરીશ? હે બેન! જયારે જયારે તું બોલતી કે કોઈને બોલાવતી ત્યારે તારા મુખથી મીઠાં વચનો જ નીકળ્યા છે. ગીતગાતી ત્યારે પણ તું અમને શીતળતા આપતી હતી. અમારુ હૈયું ઠંડક અનુભવતું હતું. હે દેવ! તું કેવો નિષ્ઠુર બન્યો જે અમારા જેવાં ભાઈ બહેનની પ્રીતને તોડાવી દીધી. તને જરાય શરમ ન આવી? બેન તારા વિના અમારાં દિવસ રાત હવે કેવાં જશે? મનથી તનથી શ્રમિત થયેલાં જીવો ત્રણ જગ્યાએ વિશ્રામ પામે છે સુપુત્ર, સુપત્ની અને સુસંગતિ, પુત્ર સારો, પત્ની સારી, અને સંગ સારો આ ત્રણ થકી માણસનો થાક ઉતરી જાય છે. બેન તારી સંગતિથી અમારો થાક ઉતરી જતો હતો. બેની જેના મુખ દેખતા મીઠાં લાગતાં હોય, વળી આંખો અમૃતથી છલકાતી હોય તેવા સ્વજન કે સજ્જન કયારેય ખટકતાં નથી. હું બેન! તું મારા હૃદયકમળમાં વસી ગઈ છે. જે મારી આંખથી હું જોઈ શકતો નથી. હવે તારા દર્શન કયારે થશે? તારા વિના અમારું જીવન કેમ જાશે એ મોટી ચિંતા મને થાય છે. અત્યાર સુધી સરલ ગુણવંતી તારા સંગે અમે ધર્મની આરાધના કરતાં હતા. પ્રમાદને ખંખેરીને તારી સાથે દર્શન યાત્રાએ આવતાં. હવે અમારા દિવસો કેવા જશે એની ચિંતા થાય છે. ભાઇનો વિલાપ કેવો બાંધવ મળતો આવા મળજો. જે હંમેશાં ગુણપક્ષી બની રહે. આરાધનામાં સાથે સહકાર આપનાર બેન શે ભૂલાય? ન જ ભૂલાય. વળી આગળ રતનટી બોલી રહ્યો છે. બેની ! તારામાં રહેલા ગુણોએ મારું મન વિંધાઈ ગયું છે. તારા દર્શનથી મારું મન કમળની જેમ વિકસિત પામતું અષાઢી માસના આકાશે ચડી આવેલા ઘનઘોર મેઘને જોઇને મયૂર નાચી ઉઠે તેમ મારો મનમયુર નાચી ઉઠતો હતો હતો. હે વહાલી બેનડી! તમે તો હવે મને છોડીને પરદેશ ચાલ્યા જશો. તેથી મળવાનો વખત કયારે આવશે? વિધાતાએ પંખીને પાંખો આપી તેમ મને આપી હોત તો કેવું સારું! પણ મને ન મળી. જો પાંખો આપી હોતે તો જરુર મન થતાં મળવા ઉડી આવત. હે બેન! સજજનની સાથે પ્રીતિ કરી હતી તે સુખને માટે કરી હતી. પણ આ પ્રીતનું સુખ સ્વપ્નવત નીવડયું. આખરે મારે તે દુઃખ ઊભું રહ્યું. હે ગુણિયલ બેન! તારા ઉપર કેટલો બધો મને વિશ્વાસ હતો. મારા મનની બે ચાર વાત મેં તને (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૦૦)
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy