SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાયોની રાજા વગેરે સભાજનો અનુમોદન કરે છે. બહુમાન કરીને વિદાય આપે છે. રાજની પાલખી સતીને ઘેર મૂકવા જવા માટે મોકલે છે. સતી સુખાસને બેસીને ઘરે આવે છે. આવી રીતે સતીના કેટલાયે દિવસો સ્વામી વિનાના જાય છે. પરદેશનું કામ પતાવી,ધન ઉપાર્જન કરી, શેઠ પોતાને ઘેર આવે છે. આ બનેલી સઘળી બીના સાંભળી આશ્ચર્ય પામે છે. પોતાની પત્નીને ધન્યવાદ આપે છે. પુણ્યશાળી પુણ્ય ના પ્રભાવે જયાં હોય ત્યાં બધે જ જય જયકાર બોલાવે છે. રતજટી ખેચર આવા બધા વિચારોમાં ગરકાવ બની ગયો છે. અને પોતાના મનને અવળે માર્ગે જતું અટકાવે છે. બુદ્ધિ પણ મારી બગડી ન જાય તેની સાવધાની રાખે છે. આ ત્રીજા ખંડને વિષે દસમી ઢાળ પૂર્ણ થાય છે. કવિરાજ કહે છે કે શુભચિત્તથી જેણે મદન-કામદેવને દૂર કર્યો છે તે જ આ જગતમાં ‘‘વીર’’ નું બિરુદ મેળવે છે. તૃતીય ખંડે દસમી ઢાળ સમાપ્ત ★ (દોહરા) ઇણિપરે ખેચર ચિંતવી, કરી નિશ્ચય નિજ મશ; ઉકત વણ નવિ પાલટે, તે જગમાં ધન શ. ૧ વચને પાંડવ વન વસ્યા, વચન કાજે સિરિ રામ; લંક બિભીષણ થાપીઓ, રાવણ હણિયો જામ. ૨ વચન કાજે હરિશ્ચંદ્રજી, નીચ ઘર નીર ભરંત; જિણે મુખે વાચ અવાચ હુય, ધિગ તસ જન્મ કહંત. ૩ સત્ય વિના સુખ જગ નહિ, કો ન કરે વિશ્વાસ; સત્ય થકી સંપદ મલે, સત્ય જિહાં ઘાટ સાસ. ૪ ચાર નારીને ઇમ કહે, ભકિત કરો ધરી નેહ; દિન થોડામાં બહેનડી, વોલાવું નિજ ગેહ. પ ઇમ નિસુણી ચારે પ્રિયા, નણદીની કરે ભકિત, પ્રથમ નારી ભકિત કરે, પ્રેમ સહિત વર યુકિત. ૬ ભવાર્થ : આ પ્રમાણે વિચાર કરતા ખેચરરાયે મનમાં નિશ્ચય કર્યો..મેં વચન આપ્યું છે તે હું મિથ્યા-(ખોટું) નહિ થવા દઉં. મારા આપેલા વચનને ફોગટ નહિ થવા દઉં. અને વળી જગતમાં પણ તેને ધન્યવાદ છે કે આપેલા વચનને જીવનપર્યંત નભાવે છે, ટકાવી રાખે છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૧૯૧
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy