________________
“આંખે આંસુ અનરાધાર, ગુરૂ વિના બન્યા નિરાધાર” ઉપર આકાશ, નીચે ધરતી... કાળમુખા કાળે અમારૂં શિરછત્ર છીનવી લીધું. અરે.. રે... હવે અમારું
કોણ?
અમારા પ્રમાદને ખંખેરનાર ગુરૂદેવ? આપ વિના અમારી સારસંભાળ કોણ કરશે? આપની નિશ્રામાં રહેલા અમે હવે ક્યાં જઇશું? અમારી આજ આવી ગોઝારી ઉગશે, એની ખબર નહોતી. અમને આજદિન સુધી આમને દુનિયાદારીની કશી જ ખબર નથી. ઘેઘુર વડલા સમ અમે આપની નિશ્રામાં રહેતાં, ક્યાં દિવસે ઉગે છે? ક્યાં રાત પડે છે?તે ખબર પડી નથી. હવે ક્યાં જઇશું? કોની પાસે રહીને આરાધના કરીશું? મને તો કંઈ જ સમજ પડતી નથી. હવે મેં જાણ્યું કે આ એક માનવપંખીનો મેળો. સાંજે સૌ ભેગા થયા, સવાર પડતાં સૌ વિખરાઈ ગયા. પૂજ્યશ્રી! હૈયું ભાંગી પડ્યું છે. હિંમત હારી ગઈ છું. આ માર્ગે જનાર ક્યારેય પાછા ફરતા નથી એ નિર્વિવાદ છે. આ વાત સમજવા છતાં, પ્રભુનું શાસન પામવા છતાં, છદ્મસ્થપણાને લઇને કલ્પાંત કરી રહ્યા છીએ. હે પરમતારક પૂજ્યગુરૂદેવ! અંત સમયે ચારા કરી દીધા. રે ભાગ્યવિધાતા! વર્ષોથી ગુરૂનિશ્રામાં રહેતી થોડીપળો માટે વિખૂટી? મારી આટલી પુણ્યની કચાશ? નિર્ધામણા કરવાની તક પણ મને ન સાંપડી. ઋણ અદા કરવાનો અવસર ન મળ્યો.
સૂર્યોદયે સૂર્યાસ્ત:
સાંજ પડે સૂર્યનું અસ્ત થવું તે એક નિત્યક્રમ છે. પરંતુ સૂર્યોદયે સૂર્યાસ્ત થવો એ કાળનો કારમો ઘા છે. પૂજ્યશ્રી અને અંતરવાસી પ્રજ્ઞશીલાશ્રીજી અકાળે અસ્ત થતાં અમ જીવનમાં સદાને માટે અંધકાર છવાયો. પ.પૂ.સૂર્યપ્રભાશ્રીજી મ. સા. સ્વયં સૂર્યવત્ પ્રકાશીત હતા. આપનો ઝળહળતો પ્રકાશ અમને ક્યારેય નહિ મળે? આપે આપનું આત્મકલ્યાણ સાધી લીધુ. સદાને માટે નેત્રમિંચાયા, એ પરમ પવિત્રદેહનાદર્શન ક્યારેય પણ થવાના નથી. ભવાંતરે મળશો તો પિછાની નહિ શકીએ. શું કરીએ?
અમદાવાદ પાલડી દેવી કમલ ઉપાશ્રયથી પૂજ્યશ્રીની અંતિમયાત્રા, હજારો માનવોની વચ્ચે, સુરત, ભરૂચ, ભાવનગર, મુંબઇ, નડિયાડ, આણંદ આદિ સંઘના શ્રાવક શ્રાવિકાઓ સમાચાર સાંભળતા દોડી આવ્યા. પાર્થિવ દેહના દર્શન કરીને સૌ રડી પડ્યા. હજારોના હૈયા ઉપકારીને યાદ કરીને રડતા હતા. કકળતા હતા.રે કાળરાજા! નાની વયે સંસારને લાત મારીને ચાલી નીકળેલા પુણ્યાત્માએ તારુ શું બગાડ્યું? કયા ભવનું વેર લીધુ? સમજાતું નથી.
પૂજ્યશ્રી!અમે સૌ પત્થર સરીખા, આપશિલ્પી બની, પ્રેમના હથોડા મારી અમારાઘાટઘડ્યા, મમતાથી સંભાળ્યા, સમતાથી સમજાવ્યા, ભાવથી ભણાવ્યા, સંસ્કારોથી સિંચ્યા, વાત્સલ્યથી નવરાવ્યા, એ ઉપકાર શું ભૂલાય.
હે ગુરૂમાતા, અમારી જન્મદાત્રી માં આ ભવની ઉપકારી, જ્યારે આપતો ભવોભવના ઉપકારી.
૧૪