SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ હાહાકાર મચી ગયો. સાથે રહેલો ભાઇ રાજુ દોડી આવ્યો. લોહીના ખાબોચિયામાં તરબોળ જોયેલા પ્રજ્ઞશીલશ્રીજીને, પગમાં ઇજા પામેલા પૂજ્યશ્રીને, રામ રમી ગયેલા બંને બેનોને જોતાં કરૂણકલ્પાંત કરવા લાગ્યો. રોડ ઉપર જતી ગાડીનો સહારો લઈને માતર પહોંચી ગયો. સંઘને જાણ કરી. ચારે કોર સમાચાર પહોંચી ગયા. રાજનગરમાં પૂજયશ્રીના બેન પૂ. તિલકપ્રભા મ.સા. સમાચાર મળતાં કાળો કલ્પાંત કરવા લાગ્યા. સંઘના ભાઈ બહેનો, સંસારી સગાઓ ભેગા થઈ ગયા. સૌ સમાચાર સાંભળી અકસ્માત સ્થળે પહોંચી ગયા. ત્યાંનું કરૂણ દશ્ય જોતાં સૌની આંખોમાં ચોધાર આંસુ ઉભરાયા. ભયંકર આવેલી આ આંધીના પ્રત્યાધાતોના પડછાયા અમારી ઉપર પડ્યા. વાસણા ગામમાં પ્રવેશતાં એક સાધ્વી મહારાજને પગે જોરદાર ઠેસ વાગી. મારા પુસ્તકના પાકીટનો પટ્ટો તૂટી ગયો. ક્ષણમાત્ર અમે સૌ ત્યાં અટકી ગયા. વિચારવા લાગ્યા. આવું કેમ થયું? શું ખબર આ પ્રત્યાઘાતના એંધાણ અમારા શિરછત્રના હતા. આ આગાહીને ન સમજી શક્યા. માતર તીર્થની વાટે આગળ વધવા લાગ્યા. પહોંચ્યા પાદરે. અમને આ સમાચાર આપવા માતરથી માણસ આવ્યો. કહે કે પૂજ્ય મહારાજને અકસ્માત થયો છે. થોડું ઘણું વાગ્યું છે. હોસ્પીટલ લઈ ગયા છે. આ સમાચાર સાંભળતા અમારા હાલ.. વર્ણન કરી શકતી નથી. હતાશ થઈ ગયા. પહોંચ્યા વિના છૂટકો નહિ, સૌ ચલાય તેટલા ઉતાવળે ચાલી નીકળ્યા. પહોંચી ગયા સુમતિનાથ દાદાની નિશ્રાએ! ત્યાંનું વાતાવરણ જોતાં, તો અમારા હાજા ગગડી ગયા. રે વિધાતા! આ શું સૂઝયું? ચોધાર આંસુએ પરમાત્માના દર્શન કર્યા. મંદિરે ફરતા માનવોનું જાણે કીડીયાળું ન ઉભરાયું હોય. અમે ધર્મશાળામાં આવ્યા. અગ્રગણ્ય ભાઇઓ અમારી પાસે આવી આશ્વાસન આપવા લાગ્યા. સાચા સમાચાર આપવાની કોઈની પણ હિંમત ન ચાલી. જ્યારે જાણ્યા ત્યારે અમારે માથે આભ તૂટી પડ્યું. કાળા કલ્પાંતની સીમા ન રહી. રે ભગવાન!આ કાળો કેર! આવો સિતમગાર ગુજારતા શરમ ન આવી!તે વેળાએ પૂજ્યશ્રીના કેવા હાલ હશે? કેવી પરિસ્થિતિ સર્જાઇ હશે? અંત સમયે એમની પાસેથી ૫-૧૦ મિનિટ માટે ક્રુર કાળમુખ યમરાજાએ અમને વેગળા કરી દીધા. અમારા કાળાં કલ્પાંતે માનવ મેદનીને રડતી કરી મૂકી. આસનોપકારી પૂજ્યશ્રીને વિહારમાં મૌન જ હોય. બંને મહારાજના હાથમાં નવકારવાળી હતી. પરમાત્માનો જાપ ચાલુ હતો. કાળરાજાએ શ્વાસને ઝુટવી લીધો. સમાધિઝૂંટવી નહોતી. ગુરૂશિષ્યાના મુખે શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ ચાલુ હતો. અણધાર્યા આવી પડેલા ઉપસર્ગને સહન કરતાં અમારી જીવનનૈયાના સુકાનીએ સદાને માટે આંચ મીંચી દીધી. પાર્થિવપૂત દેહને અમદાવાદ લઇ જવાનું નક્કી થયું. અમે સૌ પૂજ્યશ્રીના પૂણ્યદેહના અંતિમ દર્શન માટે અમદાવાદ તરફ વિહાર કરવા નિર્ણય કર્યો. એ ચૈત્રવદની સાતમનો ગોઝારો દિન, કાળઝાળ ગરમી, ઉપવાસના પચ્ચકખાણ સંઘે જવાની ના પાડી. ૪૦ કી.મી. કમ પહોંચાશે? અમે તો વાત કરી. આ ભવમાં પૂજ્યશ્રીના પુણ્ય દેહના દર્શન હવે થવાના નથી. નિર્ધામણા ત ન કરાવી શકાય. અંતિમદર્શનથી પણ વંચિત રાખશો? અમારી આરઝુ સાંભળનાર શ્રી સંઘના ટ્રસ્ટીશ્રી નટુભાઇ મનુભાઇ વગેરે પૂજ્યશ્રીના પાર્થિવદેહના દર્શન કરવા માતર લઇ આવ્યા. પરલોકવાસી પૂતાત્માના દેહને જોતાં... સૌના હૈયા હાથમાં ન રહ્યા... ૧૩
SR No.006196
Book TitleMahasati Shree Sursundarino Ras
Original Sutra AuthorVeervijay
Author
PublisherVAdachauta Samvegi Jain Mota Upashray
Publication Year1998
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy