________________
સતી સુરસુંદરીના જીવનમાં સુખ પછી દુઃખ અને તે પછી હાલતો પતિ સિવાયના બધાં જ સંયોગો સુખના દેખાય છે. સતીએ કયારેય સુખમાં મર્યાદા મૂકી નથી, દુઃખમાં અકળાઇ ગઇ નથી. પરમસુખને આપનાર પંચ પરમેષ્ઠી ના ધ્યાનને કયારેય ભૂલો નથી. કસોટીઓ ઘણી જ આવી છતાં સુવિશુદ્ધ ખંડ શીલના પ્રભાવે દુઃખ અને દૌર્ભાગ્ય વિનાશ પામ્યા. અને નવપદરુપ નમસ્કાર મહામંત્રના પ્રભાવે સુખ સૌભાગ્યને પામી.
કવિરાજ કહે છે કે જે આત્મા શીલ રુપી બખ્તરને ધારણ કરે છે. તે માણસો શીલના પ્રભાવ થકી મોટી પુણ્યાઇ અને યશ કીર્તિ મેળવે છે. વળી સાતેય પ્રકારના ભયો નાશ પામે છે. આવતા વિદ્ગોને પણ ટાળી દે છે. ઇચ્છિત ફળ મેળવે છે.
ઢાળ - ચોથી (મેરે સાહિલ તુમહિ હો, પ્રભુ પાસ જિગંદા. એ દેશી) પુણ્ય સખાઈ જબ કરે, તવ દુરિત પલાય; અલિય વિઘન દૂરે ટળે, મનવંછિત થાય. પુ. ૧ વિદ્યાધર નિજ નારીને, કહે મધુરી વાણી; બાલિકા બહેન એ માહરી, જાણી ઘર પ્રાહુણી. પુ. ૨ સૌ ધ પધારી પ્રાહુણી, દીજે ચાર રસ્તા, પાણી વાણી બે સણો, આદર સહ અશ. ૫ ૩
ભકિત મ ભૂલશો કામિની, એહની ક્ષણમેવ; જિમ સુપ્રસન્ન હોવે બહેનડી તિમ કરજો સેવ. ૫ ૪ તવ ચારે ૨મણી કહે, સાચું કહાં સ્વામી; ભકિત કરશું બહુપરિ, નણદલ શિર નામી. પુ ૫ ભકિત કરે નિત નવ નવી, મીઠાઈ મેવા; ચાર વહુ સુંદરી-તણી, નિત કરતી સેવા. ૫ ૬ સુખભર બાંધવને દારે, રહેતી સતી તેહ; દુધ સલિલ તણી પરે, સતી બાંધવ સ્નેહ. પુ. ૭ ક્ષીરે નિજ ગુણ નીરને, આખા ગુણ પાળે; પયનું દુઃખ દેખી કરી, નીર નિજ તનુ બાળે. પુ. ૮ મિત્રાનું દુઃખ દેખી પડે, શિખિમાં પય પ્રીત; પાણી થકી પાછું વળે, એ સજજન રીત. ૫. ૯ બે સી વિમાને ભ્રાતને, સતી યાત્રા કરતી, પૂજા કરે જિનરાજની,નવકાર સમારતી. પુ. ૧૦
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
(૧૪પ)