________________
નામના નગરમાં મળશે. તું ધર્ય રાખજે. અશુભ કર્મ પુરા થાય છે. હવે શુભ કર્મનો ઉદય થાય છે. સંસારીઓ જેને સુખ માને છે તે સુખ તને મળે. છતે હે બહેન! તે સુખમાં તલ્લીન ન બનતી, તારાં તીર્થકર પરમાત્માને નિરંતર યાદ કરજે. તેના પવિત્ર સ્મરણથી ભવસાગરને તરી જઇશ. જ્ઞાની એવા પિતામુનિ ભગવંતની આશ્વાસન યુકત પવિત્ર વાણી સાંભળીને સુંદરીના હૃદયમાં અનેરો ઉત્સાહ પ્રગટ્યો, પરમ આનંદ પામી. રતજી અને સુંદરી મુનિભગવંતને ફરીથી વંદન કરીને ચાલ્યા. દૂર સ્થિર કરેલા વિમાનમાં જઈને બંને બેઠા. સતી નવકારને ગણતી ખેચરરાયે વિદ્યાબળે વિમાનને ગતિમાન કર્યું. વિમાન નંદીશ્વર દ્વીપને છોડીને ઉત્તર શ્રેણી તરફ જવા રવાના થયું. સતી દૂરથી દેખાય ત્યાં સુધી દ્વીપના જિનાલયોને જુહાર કરી રહી હતી . મનમાં આનંદ સમાતો ન હતો. અણધારી આ દ્વીપની યાત્રા થઈ. માનવને દુર્લભ આ યાત્રા દેવ થકી- વિદ્યાધર થકી સહાય મળે તો જ થાય. ભાઈના ઉપકારને સંભારતી થકી વિમાનમાંથી દેખાતા નીચેના સાગર મહાપર્વતો વિશાળ નદીઓ ભયંકર વન,ભવ્ય સરોવરો વગેરે જોઇ રહી છે. કુદરતી સૌંદર્યને જોવામાં તલ્લીન બનેલી સુંદરીને વિદ્યારે પૂછયું કેમ! બેન! જોવાની મઝા આવે છે ને? સુંદરી કહે- ભાઈ! કયારેય આવું જોયું નથી. પછીતો જોવામાં મઝા આવે જને! વિદ્યાધરે વિમાનનો વેગ વધાર્યો, સડસડાટ કરતું વિમાન સાત સમંદર,પર્વતોને ઉલ્લંધીને જંબુદ્વીપમાં આવેલા ઉત્તર શ્રેણી પ્રદેશમાં આવ્યું. આ પ્રદેશ દેવો વિદ્યાધરો અને ગાંધર્વો કિન્નરોથી ગૌરવવંત બનેલો છે. સુંદર નદીઓ, હિમથી આચ્છાદિત રહેલા મનોહર પર્વતો, ફૂલોની ફોરમથી મહેંકતા વન ઉપવનો-શાંત અને ભવ્ય નગરોથી શોભતા ઉતર શ્રેણીના મધ્યમાં રહેલા રાજમહેલે ઉતર્યુ. વિમાનમાં જતાં રસ્તામા વાતો કરતાં વિદ્યાધર સુરસુંદરીને સૂચના આપી રહ્યો છે. તે બેન! મારી વાત સાંભળ! મારી ચાર રમણીઓ સાથે ઘણા હેતપ્રીતથી ને સ્નેહથી રહેવાનું છે. તું રહીશ એ મને વિશ્વાસ છે. પણ- પણ મારી આ ચાર સ્ત્રીઓ પાસે તારો ભૂતકાળ બતાવીશ નહિં. સુખ દ:ખનો ઇતિહાસ કયારેય ખોલીશ નહિ. તારી ગુપ્ત વાત પણ કરવી નહિં. ગુપ્ત વાત છ કાને જાય તો વાત વિણસી જાય છે. જેથી કરીને તારી અને મારી વચ્ચે વાત રહે. ત્રીજાની આગળ જણાવવી નહિ. તે જ વાત ચાર કાને રહી હોય ત્યાં સુધી ગુપ્ત રહે છે. અને બે કાને રહેલી વિચારણાને તો બ્રહ્મા પણ પાર પામી શકતો નથી. તે માટે એક કથા કહું તે સાંભળ!.
ભાવિના ભેદ-ભરમ રાજા અને મંત્રીની અગત્યની મંત્રણા હતી. રાજાના મિત્ર કુબડા એ સાંભળી તો રાજા ભીખ માંગતો થયો. અને કુબડો રાજયનો માલિક થઇને બેઠો. સુરસુંદરી પૂછવા લાગી- હે ભ્રાત! એ રાજા કોણ? કઇ રીતે ભિખારી થયો? રત્નજી કહે - સાંભળ બેન! ભરતક્ષેત્રમાં લીલાવતી નામની એક નગરી હતી. ધનધાન્યથી પૂર્ણ હતી. પુણ્યશાળી આ નગરીનો મુકુન્દ નામે રાજા હતો. પ્રજા વત્સલ હતો. પ્રજા પણ ઘણી સુખી હતી. રાજાને શીલે શોભતી સુશીલા નામે પટરાણી હતી. સ્વામીના વચનની અનુરાગીને અનુસરનારી હતી. વળી મતિ મેહર નામનો બુદ્ધિશાળી મુખ્ય પ્રધાન હતો. રાજય વ્યવહાર રાજાના પુણ્યબળે બરાબર ચાલતો હતો. રાજા તરફથી પ્રજાને સંર્પણ શાંતિ હતી.
એકદા રાજા પોતાના રસાલા સાથે વન ઉદ્યાને રમવા ગયો. વનવાડી રમવા જઈ રહેલા રાજા પરિવાર, સમય થતાં નગરમાં પાછા આવે છે. નગરમાં પેસતાં નગરના દ્વાર આગળ રાજાએ એક કુબડાને જોયો. દરવાજે રહેલો કુબડો જુદા જુદા પ્રકારની ચેષ્ટાઓ કરતો જેમકે મથું ધુણાવવું, જાતજાતના ખેલ કરવા, વગેરેથી પ્રજાજનોને હસાવતો હતો. લોકોથી ઘેરાયેલો હતો. કુતૂહલપ્રિય રાજાએ કુબડાને જોયો. કાણો કુબડો, એવો પણ રાજાને ગમ્યો. રાજા વાજાં ને વાંદરા કહેવત અનુસાર રાજાને કુબડો ગમતાં પોતાની સાથે લઈ લીધો. પોતાની સાથે રાજમહેલે લઈ આવ્યા. પોતાના આવાસમાં પોતની પાસે જ કુબડાને રાખવા લાગ્યા. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)