________________
સાગરમાં કે કિનારે? ઓહ! અરિહંત ભગવંત.! આટલું બોલતા વળી પાછી આંખ મીચી દીધી. શરીર ભીનું. કપડાં ભીનાં ઠંડીથી જકડાઇ ગયેલી એનામાં તાકાત જ નહોતી રહી. બરાબર એ જ સમયે બેનાતરપુરના લોકો કિનારા તરફ આવી રહ્યા હતા. ત્યાં કોઇની નજરે સતી ચડી ગઇ. તે માણસે બધાને આ સ્ત્રીને બતાવી. લોકોએ પણ દયા ખાધી. અરેરે! આવી હાલતમાં આ નારી! કયાંકથી તણાઇને આવી લાગે છે.
સતી શીયળના પ્રબળ પ્રભાવથી વીર બનીને દુ:ખને સહન કરી રહી છે. આ બીજા ખંડની સાતમી ઢાળ પૂર્ણતાને પામે છે. કવિરાજ કહી રહ્યા છે કે પુષ્ટ આલંબન રુપ પાટીયાને હાથમાં ધરો જેથી કરીને સુરસુંદરીની જેમ હે ભવ્ય જીવો! તમે પણ સંસારરૂપી સમુદ્રને પાર પામો.
દ્વિતીય ખંડે સાતમી ઢાળ સમાપ્ત
(દોહરા)
ઇણિ અવસર એક સાંભળો, તેહ નગરની વાત; નૃપકુંજર આલાનથી, છૂટો કરે ઉતપાત. ગાસ પડાવે નગરમાં, પાડે મંદિર હાટ; સુભટ સવે દૂરે રહ્યા, રાય ધરે ઉચાટ. કલાલ મંદિર પાડીને, સકલ સુરા તિણે પીધ; પુરબાહિર તે નીકળ્યો, ભાંજી કપાટ સમીધ. ૩ ચિહું દિશે લોકને ભંજતો, પામ્યો સાયર તીર; સુરસુંદરી કરી દેખીને, નિજ ભયભ્રાંત શરીર. ૪
તવ નિજ કર્મ નિહાળતી, સમુદ્ર તીર સા બાલ;
નાસી અબળા વિ શકે, દેખી ગજ વિકરાળ. ૫ સૂઢે કરી સતીને ગ્રહી, અંબર નાખી ઉલાલ; એક વિદેશગ પોતમાં, જઇ પડી તાસ વિચાલ. ૬ પુર જનતા તે દેખીને, કાંઠે રહ્યા સવિ જેહ; હે હૈ કુંજર પાપીએ, નારી હણી નિસ્નેહ. ૭ કર્મ કઠિન કોપે ચઢ્યો, બલવંત બોલ્યો કોય; માન મધરશો માનવી, કરમ ક૨ે તે હોય. ૮ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
૧
૨
૮૫