SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૪ નામ . લL ૧) નિસીહિ ત્રિક નિસીહિ એટલે નિષેધ (ત્યાગ) (અ) પહેલી : જિનાલયના મુખ્ય દ્વાર પાસે – સંસારના તમામ પાપકાર્યનો ત્યાગ. (બ) બીજી ગભારામાં પ્રવેશ કરતાં - દ્રવ્યપૂજા સિવાય જિનાલયના વિવિધ કાર્યોનો ત્યાગ. (ક) ત્રીજી ચૈત્યવંદનની શરૂઆત કરતાં – દ્રવ્યપૂજા તેમજ તેના વિચારોનો ત્યાગ. ૨) પ્રદક્ષિણા ત્રિકઃ ભાવપૂર્વક પરમાત્માની જમણી બાજુએથી ડાબા હાથના દરવાજેથી શરૂ કરી જમણા હાથના દરવાજે પૂર્ણ કરવાથી એક પ્રદક્ષિણા થાય છે, આવી ત્રણ પ્રદક્ષિણા આપવી. - પરમાત્માની ચારેકોર પ્રદક્ષિણા કરી આત્માનું ભવભ્રમણ અટકાવવા માટે. જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ રત્નત્રયીને પામવા માટે ill hસમવસરણમાં ફરી રહ્યા હોઈએ તેવી ભાવના ભાવવી ' ના જ પરમાત્મા સ્વરૂપ પામવા માટે. ૩) પ્રણામ ત્રિકઃ ભાવપૂર્વક નમન (અ) પહેલી જિનાલયના મુખ્ય દ્વાર પાસે - સંસારના તમામ પાપકાર્યનો ત્યાગ. અંજલિબદ્ધ (અ) અંજલિબદ્ધ બે હાથ જોડી, કપાળે લગાડી, મસ્તક નમાવી દેવાધિદેવનું મુખ જોતા. (બ) અર્ધાવનત કમ્મરમાંથી અડધુ શરીર નમાવી અર્ધાવનતા ગર્ભદ્વાર પાસે પહોંચતા. (ક) પંચાગ પ્રણિપાત શરીરના પાંચ અંગ (બે હાથ, બે પગ, - મસ્તક) જમીનને અડાડી ખમાસમણ. ૪) પૂજાગિક : પંચાંગ પ્રણિપાતા (અ) અંગપૂજા પ્રતિમાજી ઉપર કરવામાં આવતી પૂજા(વિનોપશામિની) : જલપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા - સમન્નુભદ્રા નામની આ પૂજા ચિત્તની પ્રસન્નતા આપે છે.
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy