SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૪ જે પરમાત્માનાં દર્શન વગર પાણી વાપરે તેને ૧ એક પૌષધનું ફળ આયંબેલનું પ્રાયશ્ચિત આવે. જે પરમાત્માની પૂજા વગર ભોજન વાપરે તેને ૧ ઉપવાસનું પ્રાયશ્ચિત આવે. એક પૌષધ (દિવસ-રાત) શ્રાદ્ધવિધિપ્રકરણ. ધર્મની ભાવના વિના જે દુ:ખો સહન કરવામાં આવે છે અને તેનાથી જે કર્મક્ષય થાય છે તેને અકામ નિર્જરા કહેવાય. લીલા ઘાસ, લોન ઉપર ચાલવાથી ૯ લાખ ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ઉપર ચાલવા જેટલું પાપ લાગે છે. જેઓ જે જિન પ્રતિમા ભરાવે તેને તે પ્રતિમામાં જેટલા પરમાણું છે તેટલા હજાર પલ્યોપમ પ્રમાણ દેવલોકનું આયુષ્ય બંધાય છે. जो देइ कणयकोडिं अहवा कारेइ कणयजिणं भवणं । तस्स न तत्तिय पुन्नं, जतिए बंभव्वए धरिए || * પ્રતિદિન અનાનુપૂર્વી ગણવાથી છ માસી તપનો લાભ થાય છે. સાઢ પોરિસનું પચ્ચક્ખાણ કરનાર દશ હજાર વર્ષના નારકીનાં પાપકર્મો ખપાવી શકે છે. ક૨ના૨ સત્તાવીશસો સીત્તોતેર કરોડ, સિત્તોતેર લાખ, સિત્તોતેર હજાર, સાતસોને સાડી સિત્તોતેર ૨૭૭૭૭૭૭૭૭૭૭ ૧/૨| પલ્યોપમનું દેવગતિનું આયુષ્ય બાંધે છે. પૌષધ શુભ ભાવનાનું પોષણ કરે છે અને અશુભ ભાવનાઓનો નાશ કરે છે. અપ્રમત્તભાવે કરેલ પોષધ તિર્યંચ અને નરક ગતિનો છેદ કરે છે. પોરિસનું પચ્ચક્ખાણ કરનાર એક હજાર વર્ષના નારકીનાં પાપકર્મો ખપાવી શકે છે. હોળીમાં ગુલાલ ઉડાડવાથી ૧૦ ઉપવાસનું પ્રાયશ્ચિત આવે. એકાસણાનું પચ્ચક્ખાણ કરનાર દશ લાખ વર્ષના નારકીનાં પાપકર્મો ખપાવી શકે છે. નીવીનું પચ્ચક્ખાણ કરનાર એક ક્રોડ વર્ષના કર્મો ખપાવી શકે છે. * એકલઠાણાનું પચ્ચક્ખાણ કરનાર દશ ક્રોડ વર્ષના કર્મો ખપાવી શકે છે. ૧૦૨ એક દત્તીનું પચ્ચક્ખાણ કરનાર સો ક્રોડ વર્ષનાં કર્મો ખપાવી શકે છે. આયંબિલનું પચ્ચક્ખાણ કરનાર એક હજાર ક્રોડ વર્ષનાં કર્મો ખપાવી શકે છે. ઉપવાસનું પચ્ચક્ખાણ કરનાર દશ હજાર ક્રોડ વર્ષનાં કર્મો ખપાવી શકે છે. છઠ્ઠનું પચ્ચક્ખાણ કરનાર એક લાખ ક્રોડ વર્ષના કર્મો ખપાવી શકે છે. અઠ્ઠમનું પચ્ચક્ખાણ કરનાર દશ લાખ ક્રોડ વર્ષનાં કર્મો ખપાવી શકે છે. પ્રતિદિન ૧ ગાથા કંઠસ્થ કરવાથી છઠ્ઠ (બે ઉપવાસ) નું ફળ મળે છે. ગાળ્યા વગરનો ૧ ઘડો પાણી વાપરવાથી ૭ મોટા ગામ બાળવાનું પાપ લાગે છે. પરમાત્માને ૩ પ્રદક્ષિણા આપવાથી ૧૦૦ વર્ષનાં ઉપવાસ જેટલું ફળ મળે છે.
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy