________________
૭૦ કર્મ-વિચાર ભાગ-૧
કે નહિ ?
હા, તે આવે જ.
બસ, તે જ છેવટના વખતને “સમય” નામ આપીએ. જ્યાં સમય એવો શબ્દ આવે, તેનો અર્થ-આવી રીતેના, “જે વખતના ગમે તેવા સંજોગોમાં ગમે તેવી તીક્ષ્ણ બુદ્ધિના માણસથી પણ બે ભાગ ન ગણી શકાય—ન કલ્પી શકાયતેવા અતિ સૂક્ષ્મ વખતનું નામ સમય છે.”
કર્મબંધ એક સમયમાં થાય છે, એટલે જે સમયે જેવા પ્રકારનો યોગ, અને અધ્યવસાય હોય છે, તે સમયે તેવા પ્રકારનો કર્મબંધ થાય છે. પછી પણ બીજે સમયે, ત્રીજે સમયે એમ દરેક સમયે કર્મબંધ ચાલુ જ રહે છે. કેમકે—યોગ અને અધ્યવસાયસ્થાનકો આત્મામાં દરેક સમયે ચાલુ હોય છે. તેથી દરેક સમયે આત્મા કાર્યણવર્ગણાને પોતાની સાથે મેળવે છે, તેથી કહેવું જ પડશે કે દરેક સમયે કર્મનો બંધ થયા જ કરે છે.
મુદ્દા
૧. કલાક, મિનિટ, સેકંડ વગેરે સ્થૂલ વખત છે, તેઓથી ઘણા જ છેવટના સૂક્ષ્મ વખતને સમય કહે છે.
૨. સમયની વ્યાખ્યા—એક પરમાણુને બીજા પરમાણુથી જુદો પાડતાં ઓછામાં ઓછો જે વખત લાગે, અથવા જેના કોઈ પણ કાળે ગમે તેવી સૂક્ષ્મ બુદ્ધિથી પણ બે ભાગ ગણી શકાય નહીં, તેવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ વખતને સમય કહે છે.