SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ કર્મ-વિચાર ભાગ-૧ અસર થયા કરે છે, તે અસર કેવી ને કેમ થાય છે ? તે હવે પછી સમજાવીશું. ૬. બંધાયેલા કર્મની અસર આત્મા ઉપર થાય છે. તે અસર કેવી કેવી થાય છે ? તેને લીધે જગતના કેવા કેવા પદાર્થો બને છે ? અને કેવા કેવા ફેરફારો થાય છે ? તે પણ કાગળ ઉપર જ સમજાવીશું. એ યાદ રાખજો કે તમારા શરીરે જેટલી જગ્યા રોકી છે, તેમાં તમારા આત્મપ્રદેશોએ જેટલી જગ્યા રોકી છે, અને તેટલી જ જગ્યામાં જે જે કાર્મણવર્ગણા છે, તેમાંથી જ તમારા આત્મપ્રદેશો, કાર્યણવર્ગણા ખેંચીને પોતાની સાથે ભેળવીને તેને બાંધીને—કર્મ બનાવે છે. આત્માએ જે જગ્યા નથી રોકી, તેમાંથી કાર્મણવર્ગણા ખેંચાતી નથી. આપણે બીજે ઠેકાણે જ્યાં જઈએ, ત્યાંથી પણ જેટલામાં આપણા આત્મપ્રદેશો ફેલાયા હોય, તેમાંથી જ કાર્યણવર્ગણા ખેંચાય છે. મુદ્દા ૧. આત્મા સાથે ચોંટ્યા પછી કાર્મણવર્ગણાનું નામ જ “કર્મ” કહેવાય છે. ૨. જેટલા ભાગમાં આત્મા (આત્મપ્રદેશો) હોય છે, તે સ્થળે રહેલી કાર્મણવર્ગણામાંની જ કાર્મણવર્ગણાઓ યોગના બળે આત્મા સાથે ચોંટે છે, ત્યારે તેનું નામ “કર્મનો બંધ” કહેવાય છે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy