________________
૬૨. કર્મ-વિચાર ભાગ-૧
નામ સ્કંધ કહેવાય છે. પરમાણુઓ દુનિયામાં અનંત છે. પરમાણુઓ એકઠા થાય, ત્યારે તેનું નામ સ્કંધ કહેવાય છે. સ્કંધો અનેક પ્રકારના છે. સ્કંધોના વર્ગોનું સમૂહોનું નામ વર્ગણાઓ કહેવાય છે.
એક એક મહાવર્ગણા નાની નાની અનંત પેટાવર્ગણાઓની બનેલી હોય છે. પછી પછીની મહાવર્ગણાઓનો પરિણામ ઘણો જ સૂક્ષ્મ હોય છે. એટલે છેલ્લી કાર્મણવર્ગણા સૌથી વિશેષ સૂક્ષ્મ છે. તેમાં પરમાણુઓ બીજી પંદર વર્ગણાઓ કરતાં સંખ્યામાં વધારે છે. છતાં તેનો પરિણામ બહુ જ સૂક્ષ્મ છે.
આપણે જ્યાં જોઈએ ત્યાં દરેક ઠેકાણે બધી વર્ગણાઓ હોય છે. એટલે હું જ્યાં બેઠો છું, ત્યાં પણ કાર્પણવર્ગણા છે. તમે બેઠા છો, ત્યાં પણ કાર્પણવર્ગણા છે. બીજે પણ છે એટલે જ્યાં કહો, ત્યાં પણ કાર્મણવર્ગણા છે. એવી જ રીતે બીજી વર્ગણાઓની બાબતમાં પણ સમજવું.
જુઓ, સાંભળો. ઘંટ વાગ્યો. વખત થઈ ગયો. ગુરુજી પણ આસન ઉપર બિરાજ્યા છે. ચાલો જઈએ. હા, ચાલો.