SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ કર્મ-વિચાર ભાગ-૧ હોવાથી તે આંદોલિત થતા જ નથી. સામસામી દિશાએથી એક દોરડું સરખા બળથી ખેંચવામાં આવે, તો તે તૂટતું નથી, તેનું કારણ સમજો છો ? હા, જી ! કારણ એ સમજાય છે કે, સામ સામી દિશાએથી સરખું ખેંચાણ થવાથી મધ્યભાગ ઉપર બન્નેય તરફના ખેંચાણની અસર થતી નથી. અથવા બન્નેય તરફના ખેંચાણની એક જ કેન્દ્રમાં અસર થતી હોવાથી, મધ્યભાગને કઈ દિશા તરફ જવું ? તે પ્રશ્ન રહે છે. એટલે મધ્ય ભાગ અસર વગરનો બની રહે છે. તેવી જ રીતે, આપણે ચાર જણા ચારેય બાજુ બેસીને પાણીની ભરેલી કથરોટની ચારેય દિશાએથી એકીસાથે એકસરખા જોરથી ટકોરા મારીએ, તો ચારેય તરફથી લાગેલા ટકોરાઓને લીધે પાણીમાં નાના નાના તરંગો ઊઠશે. પણ તે દરેકનો પ્રવાહ મધ્યમાં-વચ્ચે વહેશે, સામસામી દિશાએથી આવતા પ્રવાહો, વચ્ચે સામસામા અથડાશે. પરંતુ એકીસાથે સરખા બળથી, ટકોરા મારેલા હોવાથી વચ્ચેના પ્રદેશોને અસર ન થતાં તેને સ્થિર જ રહેવું પડે. ના, સાહેબ ! વચ્ચે પણ આંદોલન થતું તો જોવામાં આવે જ છે, તેનું કેમ? તમારી એ વાત તદ્દન સાચી છે. પરંતુ તેનું કારણ આપણે એકીસાથે અને સરખા જોરથી ટકોરા મારી શકતા નથી. કાંઈક ને કાંઈક ફરક પડી જ જતો હોય છે. તેથી એમ બને છે. પણ જો બરાબર એકસરખા વખતે અને એક સરખા જોરથી ટકોરા મરાય, તો વચ્ચે સામ સામા પ્રદેશોને સ્થિર રહ્યા વિના ચાલે જ નહીં. એ વાત સાદી બુદ્ધિથી પણ સમજાય તેવી છે. હા, હવે બરાબર સમજાયું. વળી, એક તદ્દન સરખો ગોળ પોલો ગોળો હોય, અને તેમાં પાણી ભરીને, ચારેય કોરથી તેને બંધ કરવામાં આવેલો હોય, ત્યારે તેની ચારેય દિશાએથી, ઉપર તથા નીચેથી એકીસાથે સરખા જોરથી ટકોરા મારવામાં આવે, તો મધ્યના પ્રદેશોને જરાપણ આંદોલિત થવાનું રહે નહીં, અને તેને
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy