SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ-બળ-આંદોલન ૫૧ આપણે શાંત પડી રહીને સૂતા હોઈએ, ત્યારે પણ આપણી નાડીઓ ધબકતી હોય છે. આપણા ડાબા પડખા તરફ હૃદયનો ધબકારો ચાલતો જ હોય છે. આખા શરીરમાં લોહી દોડતું હોય છે. ખાધેલો ખોરાક પચતો હોય છે. તેના રસ, મેલો, જુદા પડતા હોય છે. આમથી તેમ પેટમાંથી પસાર થતા હોય છે. લોહીમાંથી માંસ બનતું હોય છે. માંસમાંથી મેદ-ચરબી, ચરબીમાંથી હાડકાં બનતાં હોય છે. હાડકામાંથી મજજા-મગજનું તત્ત્વ તૈયાર થતું હોય છે. તેમાંથી વીર્ય બનતું હોય છે. અને તે બધાં તત્ત્વો શરીરમાં પોતપોતાને યોગ્ય યોગ્ય ઠેકાણે ગોઠવાતાં હોય છે. ઉપરાંત નાડીઓ, સ્નાયુઓ, ઇન્દ્રિઓના રજકણો, જ્ઞાનતંતુઓ વગેરે નવાં બનતાં હોય છે. એમ શરીરરૂપી કારખાનામાં ગમે તેવી શાંતિમાં પણ ધમધોકાર બધીયે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. ગમે તેવી યોગસાધના કરનાર યોગીના શરીરમાં પણ આ રીતે મોટાં મોટાં કારખાનાં ચાલતાં જ હોય છે. એ તમામ હિલચાલ ચાલવાનું મુખ્ય કેન્દ્ર-મુખ્ય મથક–આત્માના પ્રદેશોમાં થતાં આંદોલનો છે. જો તે આંદોલનો ન થતાં હોય, તો શરીરમાં કાંઈપણ–સૂક્ષ્મ પણ ફેરફાર ન થાય, મડદામાંથી આત્મા ચાલ્યો જાય છે, ત્યારબાદ શરીરની કોઈપણ વ્યવસ્થિત પ્રવૃત્તિ ચાલતી જ નથી. શરીરના આખા યંત્રના સંચાલનનો આધાર, આત્મપ્રદેશોમાં થતાં આંદોલનો ઉપર રહેલો છે. એમ હવે બરાબર સમજી શક્યા હશો ? હા, જી ! ખૂબ સારી રીતે સમજી શક્યા છીએ, પરંતુ આત્મપ્રદેશોમાં આંદોલન થવાનું કારણ શું? એ સમજી શકાતું નથી. તે કારણ હાલ સમજાવી શકાશે નહીં, આગળ જરૂર સમજાવીશું. કોઈ કોઈ જીવને કોઈ કોઈ વાર, આંદોલનો વધતા-ઓછાં થાય છે. એટલે કે, જુદે જુદે વખતે, જુદા જુદા માણસને, જુદી જુદી જાતનો યોગ ય છે. “દરેકને દરેક વખતે એક સરખો જ યોગ હોય” એમ સમજવું નહીં. કયા માણસને કઈ કઈ વખતે કઈ કઈ જાતનો યોગ થાય ? તે આગળ ઉપર સમજાવીશું, ત્યાં સુધીમાં તમે તમારી મેળે જ તમારા અનુભવથી કાંઈક સમજશો પણ ખરા. પરંતુ, યાદ રાખજો કે આઠ ટુચક પ્રદેશો આત્માનું મધ્યબિન્દુ
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy