SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૧૧મો આત્મપ્રદેશો અને આત્મપ્રદેશોની સંસર્ગ તથા વિસર્ગ શક્તિ પાઠ ત્રીજાથી પાંચમા સુધીમાં આત્મા વિશે તમે કેટલુંક શીખી ગયા છો-“આત્મા આપણા આખા શરીરમાં ફેલાઈને રહેલો છે, ચૈતન્યશક્તિ તેમાં છે.” ઇત્યાદિ ઇત્યાદિ ઘણુંયે શીખ્યા છો. તે આત્મામાં કઈ કઈ શક્તિઓ છે ? શરીરમાં તે કેવી રીતે હરે ફરે છે ? શરીરની હલનચલન ક્રિયામાં કેવી અને કેટલી મદદ આપે છે ? તેનું શું ફળ આવે છે ? એ વગેરે સવાલોના સમાધાન ઘણા ભાગે કંઈક કંઈક હવે પછીના પાઠોમાં કરીશું. જેમ આત્મા આપણા શરીરમાં છે, તે જ રીતે દરેક માણસના શરીરમાં પણ છે. એ તમે કબૂલ કરી શકો છો ? હા, કેમકે-તેઓ ઇરાદાપૂર્વક હિલચાલ કરે છે. એટલે તેઓમાં ચૈતન્ય છે, અને જ્યાં ચૈતન્ય છે, ત્યાં આત્મા નક્કી છે. તમારા નાના ભાઈની ઉંમર કેટલી હશે ? બે વર્ષની. ને તમારી કેટલી ? પંદર વર્ષની. તમે તમારા નાના ભાઈ જેવડા હતા ? હા. તેર વર્ષ પહેલાં હું તેના જેવડો જ હતો.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy