________________
પાઠ ૧૦મો
વણા (ચાલુ)
આ ઉપરથી તમે સમજી શક્યા હશો કે “જગતમાં જેટલા પરમાણુ કે સ્કંધો છે, તે દરેક, આ કહી તે, અને હવે પછી પ્રસંગે કહેવામાં આવશે, તેમાંની કોઈ પણ વર્ગણામાં સમાવેશ પામે છે.”
વળી, એ પણ સમજ્યા હશો કે-“કેટલીક વર્ગણાઓ ગ્રહણયોગ્ય (ઉપયોગમાં આવી શકે) છે. અને કેટલીક વર્ગણાઓ અગ્રહણયોગ્ય (ઉપયોગમાં ન આવે) તેવી છે.”
અગ્રહણયોગ્ય વર્ગણાઓ કહી, તે કોઈ રીતે ઉપયોગમાં ન જ આવે?
ના, કોઈ પણ રીતે કામમાં ન આવે. પરંતુ તેમાં પરમાણુઓ વધીને આગળની ગ્રહણયોગ્ય વર્ગણાની કોઈ પણ પેટાવર્ગણામાં ગણાયા પછી, અથવા પરમાણુઓ ઘટીને પાછળની ગ્રહણયોગ્ય વર્ગણાની કોઈ પણ પેટાવર્ગણામાં ગણાયા પછી કામમાં આવી શકે. સ્થિતિ બદલાવી જોઈએ. એટલે કે પરમાણુ વધીને કે ઘટીને ગ્રહણયોગ્યમાં દાખલ થયા પછી ઉપયોગમાં આવે.
ખાસ ધ્યાનમાં રાખજો કે– ૧. પરમાણમાં સંયોગ અને વિયોગ પામવાનો ગુણ છે, તેથી પરમાણુઓ
મળીને સ્કંધ બને છે. અને વિભાગ થવાથી નાના સ્કંધો થઈ જાય છે.
ને છેવટે પરમાણુએ પરમાણુ પણ છુટો પડી જઈ શકે છે. ૨. જેમ જેમ સ્કંધમાં પરમાણુઓ વધારે વધારે, તેમ તેમ તેના પરિણામ