________________
૩૬ કર્મ-વિચાર ભાગ-૧
એ રીતે, એક એક પરમાણુ વધારતાં સંખ્યાતાણુક અનંત સ્કંધોની સંખ્યાતમી વર્ગણા. અસંખ્યાતાણુક અનંત સ્કંધોની અસંખ્યાતમી વર્ગણા. એ રીતે એક એક પરમાણુ વધારતાં વધારતાં, છેવટેઅનંત-અનંતાણુક સ્કંધોની છેલ્લી-અનંતમી વર્ગણા આવે. આ બધી પેટાવર્ગણાઓ થઈ.
બોલો, કુલ પેટાવર્ગણાઓ કેટલી થઈ ?
અનંત. છેલ્લી પેટાવર્ગણાનું નામ શું ? અનંતાણુક સ્કંધની અનંતમી પેટાવર્ગણા. અનંતમી પેટાવર્ગણામાં અનંતાણુક સ્કંધો કેટલા ? અનંત.
ઠીક, ત્યારે લાખમી પેટાવર્ગણામાં સ્કંધો કેટલા ? અનંત.
તેના એક એક સ્કંધોમાં પરમાણુઓ કેટલા ?
લાખ લાખ.
તેથી જ તેનું નામ લક્ષાણુક સ્કંધ કહેવાય છે. મને લાગે છે કે, હવે આ વાત તમને બરાબર સમજાઈ ગઈ હશે ?
બરાબર સમજ્યા છીએ.
સારું. એક પરમાણુથી માંડીને અનંતાણુક સ્કંધની વર્ગણા સુધીમાં અનંત પેટાવર્ગણાઓ થઈ. પરંતુ, તે બધી જીવ-આત્મા પોતાની તરફ ખેંચતો નથી, પોતામાં મેળવતો નથી, તેનો કોઈ પણ જાતનો ઉપયોગ કરતો નથી. તેથી તેનું નામ પહેલી અગ્રહણયોગ્ય મહાવર્ગણા.