________________
૨૪ કર્મ-વિચાર ભાગ-૧
ઠીક, કાંઈ ભૂલ નથી. તેથી જ મને પણ તમારી સાથેની વાતોમાં
આનંદ જ પડે છે.
શકશો ?
તમને કેટલાં વર્ષ થયાં ? વારુ !
મને પંદર વર્ષ થયાં છે.
તમે છ વર્ષના હતા, ત્યારે જે ડગલો પહેરતા હતા, તે મને બતાવી
ના, જી !
કેમ ?
મારો એ ડગલો ફાટી ગયો છે, અને ઝીણાં ઝીણાં ચીંથરાં થઈ ગયાં છે. તે હવે ક્યાંથી લાવી બતાવું ?
ઝીણાં ઝીણાં ચીંથરાં બતાવો.
તે પણ નહીં મળે, ક્યાંય ઘસાઈ ભૂંસાઈ ગયાં હશે.
પણ કાં ગયાં હશે ? વારુ !
તે તો હું નથી જાણતો.
ગભરાઓ મા. જરા વિચાર કરો. તમને તે સમજાશે.
એ ચીંથરાં ઘરના માણસોએ જેવા તેવા કામમાં વાપરવા લીધાં, તદ્દન નકામાં જેવા થઈ ગયાં, પછી જ્યાં ત્યાં બહાર ફેંકી દીધાં.
હા, હા, બધાં કપડાં માટે એમ જ બને છે. પછી તે ઝીણાં ઝીણાં ચીંથરાંને શું કરે ? ફેંકી દેવા જ જોઈએ ને ?
પરંતુ, ફેંકી દીધા પછી તેઓનું શું થયું હશે ? માલૂમ છે ? ના, જી !
જરા વધુ વિચાર કરો. તમને માલૂમ પડી જશે.
ઝીણા ઝીણા કકડા લોકોના પગ તળે ચગદાઈ, તેથી પણ વધારે ફાટીને તદ્દન નાના નાના કકડા થયા હશે, પછી તેથી પણ ઝીણા કકડા થઈને ધૂળમાં મળી ગયા હશે, તદ્દન હલકા થઈ હવામાં ઊડી ગયા હશે જ. બસ.