SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૬ઠ્ઠો બારીકમાં બારીક કણિયો–પરમાણુ આપણે જોઈએ છીએ, તે દરેક જડ વસ્તુઓની ઉત્પત્તિ શામાંથી ? ને કેવી રીતે છે ? તથા નાશ થયા પછી તેની શી સ્થિતિ થાય છે ? એ પણ જરા સમજી લઈએ. . હા, એ પણ જરૂરનું છે. આપણે બીજા પાઠમાં જડ અને ચૈતન્યના સંબંધમાં કેટલુંક જાણી ગયા, તેમ જ ચૈતન્ય જેમાં રહે, તેનું નામ “આત્મા” એ પણ થોડું ઘણું આપણે ત્રીજા પાઠથી સમજયા. આત્મા આપણા શરીરમાં જ ફેલાઈ રહ્યો છે, તે પણ ચોક્કસ નક્કી કર્યું. ચંદ્રકાન્તભાઈ ! આ શું છે ? તે ઈંટ છે. તે ઈંટ કોણે બનાવી છે? ' કુંભારે. . શામાંથી ? અને કેવી રીતે બનાવી ? તે કહી શકશો? માટી ખોદી લાવી, પાણી રેડ્યું. પછી ખૂબ ગૂંદી, ચીકણી માટી થયા પછી લાકડાના ચોકઠામાં ઈંટો પાડી, પછી પકવી, એવી ઘણી ઈંટો બરાબર ગોઠવી આ મકાન કડિયાઓએ ચપ્યું. ત્યારે આ ઈંટ આખી વસ્તુ નથી, પણ “માટીના ઘણા કણિયા એકઠા મળીને ઈંટો બની છે.” એમ તમારું કહેવું છે ને ? હા, જી ! એમ જ. તેમાં કાંઈ ભૂલ હોય, તો સુધારશો.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy