________________
૨૨ કર્મવિચાર ભાગ-૧ તેને તમે નિર્જીવ કેમ કહો છો ?
શંકા અવસરોચિત છે. સમાધાન એ જ કે–ખરી રીતે નખનો કાળો ભાગ કે બહાર જણાતા વાળ વધતા નથી. પણ નખનો લાલ ભાગ, અને મૂળમાં રહેલા વાળ વધે છે. તેના વધવાથી આપણને નખનો કાળો ભાગ અને બહાર દેખાતા વાળ વધતા લાગે છે, પણ ખરી વાત એમ નથી.
મુદ્દા ૧. આત્મા આપણા આખા શરીરમાં ફ્લાઈને રહ્યો છે, શરીરની બહાર
નથી. એટલે આપણો આત્મા સર્વવ્યાપી નથી. તેમ જ શરીરના કોઈ
એકાદ ખૂણામાં છુપાઈ રહ્યો નથી. ૨. શરીરમાં આત્મા છે, ને આત્મામાં ચૈતન્યશક્તિ છે.