________________
પાઠ પમો
શરીરમાં આત્માનો ફેલાવો
તમારા હાથ તરફ દૃષ્ટિ કરો. જુઓ, આ તમારી આંગળી, તેને છેડે નખ છે. નખની તરફ જુઓ, તેનો છેડો જરા ઝાંખો કાળાશ પડતો છે, અને તે કાળાશ પડતો ભાગ અને નખનો લાલ ભાગ આપણને જુદા પડતા જણાય છે.
તમે નખ ઉતરાવો છો, ત્યારે તે કાળા ભાગને કપાવી નાખો છે, પણ તમે નખ કપાવતી વેળા હજામને જરા સૂચના કોઈ વખતે કરતા હશો કે “સંભાળજે ભાઈ ! જીવતો નખ લેવાઈ ન જાય.” ગફલતથી કદાચ નખ વધારે લેવાઈ જાય. અને લાલ ભાગ કપાય, તો તમને તરત બળતરા બળે છે, નખ એક જ છતાં આ ફેરફાર કેમ ? તેનો જવાબ એટલો જ કે,'તમારો આત્મા લાલ નખના છેડા સુધી છે. કાળો ભાગ આત્મા વિનાનો છે, ત્યાં આત્મા નથી. એટલે તેમાં ચૈતન્ય પણ નથી, તેથી કાળો ભાગ કપાતા તમને જરાય દુ:ખ થતું નથી.
અરે હા ! આયે વાત બરાબર છે.
કાતરથી વાળ કતરાવો છો, પણ તમને દુઃખ નહીં થાય, કારણ કે વાળમાં તે ચૈતન્યવાળી વસ્તુ-આત્મા છે જ નહીં. આત્મા માથાની ચામડી સુધી છે. એટલે વાળના મૂળમાં આત્મા છે. તેથી જો કોઈ વાળ ખેંચે, તો ઘણું દુ:ખ થાય. આંખો લાલચોળ થઈ, તેમાં આંસુ આવી જાય. વાળ ખેંચનારને તમે પહોંચી શકો તેવા હો, તો કદાચ એકાદ લાત પણ ખેંચી દો.
તેવી જ રીતે દાંતના મૂળ સિવાયના બાકીના ભાગમાં પણ એમ જ છે. દાંત કોચાવીને તેમાં સોનાની રેખાઓ નાંખેલી હોય, તેવા માણસો