________________
લાગણી ચલાવનારું અને સર્વ લાગણીઓ એકઠી થવાનું મૂળ મથક ૧૯
બરાબર ! બરાબર ! હવે અમે અમારા શરીરમાં ભરાઈ બેઠેલી ચીજને ઓળખી શકચા, અને તેનું આત્મા એવું નામ પણ જાણી શક્યા.
મુદ્દા
૧. રીતસરની સમજપૂર્વકની હિલચાલ ચૈતન્ય હોવાની સાબિતી આપે છે. ૨. પરંતુ ચૈતન્ય શરીરનો ગુણ નથી જ.
૩. લાગણી જાગે છે અને શમે છે.
૪. તે જેમાં જાગે કે શમે તે, શરીર સિવાયની કોઈ જુદી વસ્તુ હોવી જોઈએ.
૫. લાગણીઓ કોઈ આધાર વિના રહી શકે નહીં, તેનો નાશ અને ઉત્પત્તિ કોઈકમાંથી થવી જોઈએ.
૬. લાગણીઓનું એકધારું વહેણ ટકાવનાર વસ્તુ, તે જ આત્મા.