________________
૧૮ કર્મ-વિચાર ભાગ-૧
ઘડિયાળ પ્રાણી નથી. ઘડિયાળ જડ છે. તો બરાબર વખતસર બોલે છે, કેમ ? તે તો માણસે જડમાં કરેલી ગોઠવણીથી એ બધું થાય છે.
તમારે છાપરા પરથી પથરો રોડવો તો પડે, અથવા નિરાધાર હોય તો પડે, તેથી તેની પડવાની ઇચ્છા-લાગણી થઈ હતી ને પડ્યો.” એમ નથી. જડ પ્રવૃત્તિ-ક્રિયા-કામ કરે છે. પણ તેને પોતાની લાગણી નથી હોતી.
બીજાની લાગણીથી ઘણું કામ એ પણ કરે છે, પરંતુ તેને પોતાની લાગણી નથી હોતી.
જે કામો લાગણીવાળા પદાર્થ જેવા કરે, પણ જેને પોતાની જાતની લાગણી ન હોય, બીજાની લાગણીને આધીન થઈને દોરાવું પડે, તે જડ કહેવાય. આ વાત બધેય લાગુ કરી જો જો .
આપણા શરીરમાં એક એવી વસ્તુ રહી છે, કે જેને આપણે આપણી આંખે જોઈ શકતા નથી. પણ તે વસ્તુ આપણા શરીરથી જુદી જ છે, અને આપણા આખા શરીરમાં લાઈને રહેલી છે, એમ બુદ્ધિથી સમજી શકીએ છીએ.
આપણે જે ચૈતન્ય શક્તિ–લાગણીનું વિવેચન આગળ કરી ગયા, તે ચૈતન્ય શક્તિ–લાગણી તેમાં શરીરમાં ફેલાઈને રહેલી વસ્તુમાં હોય છે. એટલે આ ચૈતન્ય શક્તિ શરીરની નથી. શરીરની હોય, તો મડદાંનું શરીર કાયમ જ છે. છતાં, તેમાં એ શક્તિ જણાતી નથી. તેમજ એ શક્તિ કોઈ બનાવી પણ શકતું નથી. એવો કોઈ કારીગર મળ્યો નથી. સાંભળ્યો નથી, કે જેણે એ શક્તિ બનાવી હોય.
ચૈતન્ય શક્તિ જગજાહેર છે, આપણે જાણી શકીએ છીએ, તે કોઈ રીતે કોઈનાથી છુપાવી શકાય તેવી નથી, બીજાને પણ સમજાવી ઓળખાવી શકાય તેવી છે. તેથી એ “ચૈતન્ય શક્તિ-લાગણી જેમાંથી જાગે છે, અને જેમાં સમાય છે, તે વસ્તુ કબૂલ કરવાની ખાસ જરૂર પડે છે.
આ ચૈતન્ય શક્તિ જેમાં છે, તેનાં જીવ, આત્મા, હંસ, ચેતન, પુરુષ વગેરે જુદાં જુદાં નામ છે. વસ્તુ એક જ, નામ માત્ર જુદાં છે.