________________
ચૈતન્ય-લાગણીના તરંગો ૧૩
વિચારમાં પડી ગયા. ખરું ને?
હા, જી ! અમારા મનમાં અનેક તર્કો આવે છે, અને ચાલ્યા જાય છે, નવા નવા તર્ક ઊઠે છે અને બેસી જાય છે. જવાબ આપતા હતા, ત્યારે અમે આનંદ, હર્ષ, ઉત્સાહ અને હોશિયારીની લાગણી અનુભવતા હતા. હવે જાણે દબાઈ ગયા હોઈએ, કશીયે ગતાગમ વિનાના હોઈએ, અને બધું ભૂલી જઈને-“લાગણી કોની ?” એ પ્રશ્નના જવાબમાં અનેક તર્ક-વિતર્ક લાવી ચિંતાભરી લાગણી અનુભવી રહ્યા છીએ..
પહેલી લાગણી ક્યાં ગઈ ? અને બીજી લાગણી આવી ક્યાંથી ?
આપણો એ પ્રશ્ન પણ ખરો છે, કેમકે એકની એક લાગણી આખો દિવસ કાયમ રહેતી નથી. ઘડીકમાં માણસ હસે છે, ઘડીકમાં ક્રોધ કરે છે, ઘડીકમાં ઊંધે છે, ઘડીકમાં બોલ બોલ કરે છે–એમ આખા દિવસમાં અનેક લાગણીઓ જાગે છે અને શમે છે. એકેય લાગણી કાયમ રહેતી નથી. તો એ ક્યાંથી આવે છે ? અને એ ક્યાં જાય છે ? આ પણ પ્રશ્ન ખરેખરો છે. આપે હવે તો અમને ખૂબ ગૂંચવણમાં નાંખ્યાં.
કહો તો કે–શરીરમાંથી ઉત્પન્ન થાય છે, અને શરીરમાં જ સમાઈ " જાય છે.
ના, એમ કેમ કહેવાય ? શરીરમાં ઉત્પન્ન થાય છે, અને શરીરમાં સમાઈ જાય છે, એ ખરું. પણ શરીરને પોતાને તો લાગણી છે જ નહીં, એ તો આપણે ગાજી વગાડીને બરાબર આગલા પાઠમાં નક્કી કર્યું છે. એટલે એ લાગણીઓ શરીરની તો નથી જ. પણ, શરીરમાં એવું કાંઈક ભરાયેલું છે કે, તેમાંથી એ લાગણીઓ ઊઠતી હોવી જોઈએ, અને તેમાં જ સમાઈ જતી હોવી જોઈએ, એમ લાગે છે.
વાહ રે ! વાહ ! ખૂબ કરી, શરીરમાં કાંઈક ભરાયું હોવાની તમેય નવી શોધ કરી. તમે જો ભારત બહારના પ્રદેશમાં ક્યાંક જન્મ્યા હોત તો, મોટું ઇનામ તમને આ શોધ બદલ મળત. આ દેશમાં તો એવી શોધ કરનારા ઘણાયે પાકી ગયા છે, એટલે આવી શોધનું બહુ મહત્ત્વ અને તેમાં ખાસ નવીનતા ન હોવાથી તમને કોઈ ઇનામ આપવા તલપાપડ થઈ જવાની ઉતાવળ કરે તેમ નથી.