SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ કર્મ-વિચાર ભાગ-૧ છે ? હા. કોઈ વખત મરી ગયેલા માણસ પાસે ગયા છો ? અને તેને જોયો હા. તેની અને તમારી સરખામણી કરશો, તો તમને માલૂમ પડશે કે, “તમારા જેવું જ એનું શરીર છે” પણ “તમારા જેવા કામ તે કરતો નથી.” તેમજ, જેમ તમને “લાગણી થાય છે” તેમ તેને “લાગણી થતી નથી.”. વધારે તપાસ કરી હશે, તો એ પણ માલૂમ પડ્યા વિના રહ્યું નહીં હોય કે તે મરી ગયેલા માણસને લાકડાનો મોટો ઢગલો સળગાવીને તેમાં સળગાવી દે છે, છતાં જરા પણ બૂમ પાડતો નથી, નાસભાગ કરતો નથી, ને એક પણ શબ્દ બોલતો નથી. આ કબાટની માફક જ તે પણ “લાગણી વિનાનો જ” જણાયેલ છે કે ? હા, જી ! એ મરી ગયેલા માણસને તમે કદી તમારી માફક કામ કરતો જોયેલો ખરો ? હા, ઘણી વખત તે પોતાની દુકાનનું, ઘરનું કામ કરતો હતો, મારી માફક જ ખાતો-પીતો હતો. પરંતુ લોકો જ્યારે તેને મરી ગયો” એમ કહેવા લાગ્યા, ત્યાર પછી તેણે કશુંય કર્યું નથી. અને કોણ જાણે શા કારણથી, પણ તદ્દન ‘લાગણી વિનાનો” થઈ ગયો હોય, તેવો જણાતો હતો. તમે અને તે માણસ એક વખતે સરખી સ્થિતિમાં હતા, ને પાછળથી તે માણસ અને આ કબાટ, એ બન્નેય સરખી સ્થિતિમાં આવ્યા ? એવું જ બન્યું લાગે છે ને ? હા. એમ જ થયું લાગે છે. એટલે, તે માણસમાં પ્રથમ તમારી પેઠે શરીર અને લાગણી એ બે વસ્તુઓ જોવામાં આવતી હતી, ત્યારે તમે બન્નેય સરખા હતા, ને જ્યારે તેમાંથી એક બાબત-લાગણી-ઓછી થઈ, અને માત્ર શરીર રહ્યું, ત્યારે
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy