SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૭૯ દેવપરિસ્થિતિમાંના ઉત્પત્તિપ્રદેશ સુધી લઈ જનારું કર્મ. ૧૨૧. ૭૩. ૨. મનુષ્યાનુપૂર્વીનામકર્મ ૧૨૨. ૭૪. ૩. તિર્યંચાનુપૂર્વીનામકર્મ ૧૨૩. ૭૫. ૪. નારકાનુપૂર્વીનામકર્મ આ ત્રણેયના અર્થો પણ ઉપર પ્રમાણે જ યાદ કરી લેવા. ૮ શુદ્ધ પ્રત્યેકપ્રકૃતિઓ. હવે આપણે પ્રત્યેકપ્રકૃતિઓના વિચાર ઉપર આવીશું. એ ભેદો, તેના વિપાકના અને પિંડપ્રકૃતિઓના વિપાકના કોઈ મૂળ તત્ત્વમાં ભેદ છે, એ ઉપરથી એ ભેદ પાડવામાં નથી આવ્યા. પરંતુ માત્ર તેને પેટા ભેદો નથી. અને ઉપર ગણાવેલી ચૌદ પ્રકૃતિઓને પેટા ભેદો છે એટલે ગ્રંથરચનાનો અમુક ક્રમ સાચવવા એ પ્રમાણે વિભાગ પાડીને વિવેચન કરેલું છે. બાકી બીજી રીતે પણ તેનું વિવેચન કરી શકાય, જીવવિપાકીનો વર્ગ જુદો અને પુગલવિપાકીનો વિભાગ જુદો. તથા ક્ષેત્રવિપાકીનો ત્રીજો વિભાગ એમ વિપાકની તરતમતાને લીધે તેના ત્રણ ભાગ પાડી શકાય, જે હવે પછી બતાવીશું. - આ આઠ પ્રકૃતિઓમાં શ્વાસોચ્છવાસનામકર્મ અને જિનનામકર્મ જીવવિપાકી છે, અને બાકીની છ પુદ્ગલવિપાકી છે અર્થાત્ તેઓના વિપાકનો સંબંધ પુદ્ગલવર્ગણાઓના બનેલા શરીર સાથે મુખ્ય છે. પુદ્ગલોમાં અનેક શક્તિ છે. તે બધી સ્વાભાવિક રીતે પરિણામો પામ્યા કરે છે, ત્યારે તે વિશ્રસા પરિણામ કહેવાય છે, પરંતુ જીવના નિમિત્તને લઈને જે પરિણામો થાય છે, તે બધા પ્રયોગપરિણામો છો. પ્રયોગપરિણામોમાં જીવ ખાસ નિમિત્ત છે, અને જીવનિમિત્ત છતાં પ્રયોગપરિણામોમાં જે તરતમતા રહે છે, તે કર્મને લીધે હોય છે. કર્મો વિના પ્રયોગપરિણામો પ્રાપ્ત કરવાનો જીવને અધિકાર રહેતો નથી. એટલે કે પુદ્ગલોમાં રહેલી સ્વાભાવિક શક્તિઓના પ્રયોગપરિણામો કર્મની મદદથી પ્રાપ્ત કરી શકે છે. તમામ પુદ્ગલવિપાકીઓના પુદ્ગલવિપાકીપણામાં આ મૂળ તત્ત્વ છે. એ ધ્યાનમાં
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy