________________
૨૮૦ કર્મ-વિચાર ભાગ-૩ રાખીએ તો કર્મોના વિપાકનો અર્થ બરાબર સમજી શકાય છે.
૧૨૪. ૭૬. ૧. અગુરુલઘુનામકર્મ–પુદ્ગલપરમાણુઓ અને સ્કંધોમાં પણ સર્વ અવાંતર પરિણામોના મૂળ તત્ત્વરૂપ એક અગુરુલઘુનામનો વ્યાપક પરિણામ હોય છે. પરંતુ આ તો જીવે ગ્રહણ કરેલી શરીરાદિકના સ્કંધોમાં પરિણામ થવાનો છે, અને તે પ્રત્યેક જીવની જુદી જુદી પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે વિચિત્ર વિચિત્ર જાતનો રહેવાનો. એટલે આ પ્રયોગ પરિણામમાં જીવનું કર્મ કારણ હોવું જ જોઈએ. એટલે આ કર્મ તે તે જીવે પ્રાપ્ત કરેલા શરીરાદિક સ્કંધોમાં ઉત્પન્ન થતા અગુરુલઘુપ્રયોગ પરિણામનું નિયામક છે.
એવી જ રીતે ઉપઘાત, પરાઘાત, આતાપ, ઉદ્યોત, નિર્માણ વગેરે વિશે સામાન્યતઃ સમજી રાખવું. કારણ કે એ પરિણામો વિશ્રસા પણ હોય છે, અને જીવપ્રયોગકૃત હોય ત્યારે પ્રયોગપરિણામો પણ હોય છે અને તે તે પ્રયોગપરિણામમાં તે તે કર્મ કારણ હોય છે. એટલું સામાન્ય સમજયા પછી તે તે પરિણામની શી શી ખાસ જરૂર છે. તે નીચે પ્રમાણે સમજી લેવાથી બરાબર ખ્યાલ આવી જશે.
૧૨૫. ૭૭. ૧. નિર્માણનામકર્મ–આ કર્મ અંગોપાંગનામકર્મથી મળવાનું નક્કી થયેલાં અંગોપાંગોની સ્થળમર્યાદાઓ નક્કી કરે છે. જે અંગ
જ્યાં શોભી શકે અને બરાબર ઉપયોગમાં આવી શકે તે રીતે બરાબર સ્થળો નક્કી કરવાનું કામ આ કર્મ કરી આપે છે. આ કર્મ માત્ર બાહ્ય અંગોપાંગોનાં સ્થળો નક્કી કરે છે, એમ નથી. પરંતુ અંદરનાં અંગો અને એકંદર શરીરનાં નાનાં મોટાં તમામ તત્ત્વોનો રીતસર ચિતાર નક્કી કરી આપે છે અને તે આવેલી વર્ગણાઓ ઉપર પહેલે સમયેથી અસર કરવા માંડે છે, એટલે પરિણામે તે પ્રમાણે બધું ગોઠવાતું ચાલે છે. યદ્યપિ આવો ક્રમસંનિવેશ પરિણામ પુદ્ગલમાં હોય જ છે. પરંતુ અહીં જીવવિશેષ જુદી જુદી પરિસ્થિતિવાળો હોય છે. એટલે પ્રત્યેક જીવની પરિસ્થિતિ પ્રમાણે પ્રયોગથી ઉત્પન્ન થતા ક્રમસંનિવેશ પરિણામમાં આ કર્મ કારણભૂત છે માટે જ તે પ્રયોગપરિણામ કહેવાય છે.