SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ કર્મ-વિચાર ભાગ-૩ શબ્દ મૂકવો. એમ દરેકને સાત સાત બંધનો થશે. તેમાંના પહેલા ત્રણ દરેકમાં સરખા હોવાથી તેની સંખ્યા જુદી ન ગણતાં કુલ ૧૫ જાતનાં બંધનો આખા પ્રાણીવર્ગ માટે નક્કી થયાં. કોને કઈ વખતે કેટલાં હોય ? એ વિચાર અહીં કરીએ ૬૬. ૧૮. ૧. તૈજસુ-કાશ્મણ બંધન નામકર્મ તૈજસ્ શરીરપણે પરિણત થયેલી તૈજસ વર્ગણા અને કાશ્મણ શરીરપણે પરિણત થયેલી કાર્પણ વર્ગણા, તેનું પરસ્પર એકાકાર મિશ્રણ થવું, તે તૈજ-કાશ્મણ બંધન. અને આ કર્મ, તેનું પ્રેરક કર્મ છે. ૬૭. ૧૯. ૨. તૈજસ-તૈજસ્ટ્ર બંધન નામકર્મ–નવી આવેલી પરિણત તૈજસ્ વર્ગણા જૂની પરિણત તૈજસ્ વર્ગણા સાથે મિશ્રણ પામે, તે તૈજસ તૈજસ બંધન. તેનું પ્રેરક આ કર્મ છે. ૬૮. ૨૦. ૩. કાશ્મણ-કાર્પણ બંધન નામકર્મ–નવી આવેલી પરિણત કાર્મણ વર્ગણા જૂની પરિણત કાર્મણ વર્ગણા સાથે મિશ્રણ પામે છે, તે કામણ-કાર્પણ બંધનતેનું પ્રેરક આ કર્મ છે. બે ભવ વચ્ચે અને બીજે પણ કોઈ કોઈ પ્રસંગે આ ત્રણ જ બંધન હોય. - ૬૯. ૨૧. ૪. ઔદારિક ઔદારિકબંધન નામકર્મ–નવી આવેલી પરિણત ઔદારિક વર્ગણા જૂની પરિણત ઔદારિક વર્ગણા સાથે એકાકાર થાય, તે ઔદારિક-ઔદારિક બંધન. તેનું પ્રેરક આ કર્મ છે. ૭૦. ૨૨. ૫. ઔદારિક-કાશ્મણબંધનનામકર્મ ૭૧. ૨૩. ૬. દારિક-તૈજસુબંધનનામકર્મ ૭૨. ૨૪. ૭. ઔદારિક-તૈજસકામણબંધનનામકર્મ ઉપર પ્રમાણે પરિણત ઔદારિકવર્ગણા તૈજસ અને કાર્મણ સાથે મિશ્રણ પામે છે અને છેવટે એ બન્નેના મિશ્રણ સાથે પણ એકાકાર થાય છે. ત્યારે ઉપરનાં ત્રણ બંધન થાય છે અને તેનાં પ્રેરક આ ત્રણ કર્મો છે. પ્રથમ સમયે આવેલી ઔદારિકવર્ગણાનો પ્રથમ સંબંધ તે જ વખતે
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy