SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૬૧ ૬૪. ૧૬. ૨. વૈક્રિયઅંગોપાંગનામકર્મ. ૬૫. ૧૭. ૩. આહારકઅંગોપાંગનામકર્મ. ઉપર પ્રમાણે સમજી લેવાં. ૫. બંધનનામકર્મ. આ કર્મ, શરીરને માટે મળેલી વર્ગણાઓને પરસ્પર મેળવી તેનું એકાકાર મિશ્રણ કરે છે. આત્મા જ્યારે બીજા ભવમાંથી આવ્યો તે વખતે તેની સાથે તૈજસ્ અને કાર્મણ એ બે શરીર તો હતાં જ. ત્યાર પછી જે સમયે તેણે સૌથી પહેલી ઔદારિક વર્ગણા લીધી, ત્યારે તૈજસ્ અને કાર્મણ વર્ગણાઓ પણ લીધી જ હતી. હવે પ્રથમનાં બે શરીરની સાથે નવા શરીરને એકાકાર કરવું જોઈએ. એટલે ઔદારિક વર્ગણાના પરમાણુઓનો યોગ્ય પરિણામ થઈ જાય કે તરત આ બંધન નામકર્મ તૈજસ્ તથા કાર્પણ સાથે તેને મેળવે છે. અને પછી નવી ઔદારિક વર્ગણા આવે તેને પોતાની સાથે મેળવે છે. તે જ સમયે તૈજસ્ અને કાર્પણ ૫૨માણુઓ નવા આવે છે. તેને પણ એકાકાર કરી આપે છે. બીજું, તૈજસ્ અને કાર્યણ એ બન્ને શરીરનું કાર્ય જો કે જુદું જુદું હોય છે. છતાં તે બન્ને પણ એકાકાર થયેલાં હોય છે. આ રીતે એકાકાર થયેલાં શરીરો જલદી જુદાં પડી શકતાં નથી. કેવી વિચિત્ર ઘટના ! છેવટે પ્રાણી ઘણી ભૂલો કરે ત્યારે જ એ સંબંધ છૂટો પડે છે. અને છેવટે નવું બનાવેલું હતું તે શરીર પણ છોડીને, કાર્મણ તૈજસના મિશ્રણવાળા શરીરને જુદું પાડી તેને પોતાની સાથે લઈ આત્મા ભવાંતરમાં ચાલ્યો જાય છે. આ રીતે વિચાર કરતાં નીચે પ્રકારે બંધનો નક્કી થયાં— ૧. đજ-કાર્યણ. ૨. તૈજસ્-તૈજસ્. ૩. કાર્મણ-કાર્મણ. ૪. ઔદારિક-તૈજસ્. ૫. ઔદારિક-કાર્યણ. ૬. ઔદારિક-તૈજસ્ કાર્મણ. ૭. ઔદારિક-ઔદારિક. આ સાત રીતે પરસ્પર મિશ્રણ થઈ શરીરનું બંધારણ બંધાય છે. હવે દેવ તથા નારકને વૈક્રિય શરીર હોય છે. એટલે તેઓને ઔદારિકને બદલે વૈક્રિય શબ્દ મૂકવો. અને આહારક શરીરવાળાને આહારક
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy