SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ કર્મ-વિચાર ભાગ-૩ કર્યા કરે, પરંતુ તેને ખબર જ ન પડે કે હું ઊંઘમાં છું, ને અમુક કામ કરું છું. આવી અત્યંત ગાઢ નિદ્રા. તે સ્થાનદ્ધિ નિદ્રા. તેને ઉત્પન્ન કરનાર કર્મ. આ છેલ્લી નિદ્રાવાળા માણસમાં તે વખતે ઘણું જ બળ ઉત્પન્ન થાય છે. આનું બીજું નામ સ્યાનગૃદ્ધિ પણ છે. આ નિદ્રાવાળો પ્રાણી રાતમાં ઊંધમાં ને ઊંઘમાં ઊઠી ઊઠીને ભારે કામો કરી નાંખે છે. ૩. વેદનીયકર્મ. આત્મા અનંત આનંદમય છે. આ કર્મ એ અનંત આનંદમયતાનું આચ્છાદન કરે છે. અર્થાત્ આત્મા સિવાયની બીજી વસ્તુઓમાં ક્ષણિક સુખ અથવા દુઃખની વૃત્તિઓ ઉત્પન્ન કરાવે છે. ૧૫ ૧. સાતવેદનીયકર્મ-સુખાનુભવ કરાવનાર કર્મ. ૧૬ ૨. અસાતવેદનીયકર્મ-દુઃખાનુભવ કરાવનાર કર્મ ૪. મોહનીયકર્મ. આત્મા સ્વમય છે, સ્વનિષ્ઠ છે, શુદ્ધદર્શી છે, અનન્ય સ્વરૂપ છે અને અનન્યાસક્ત છે. તેને આ કર્મ સ્વમાં બેદરકાર બનાવે છે. પોતાના સિવાયના બીજા આત્માઓમાં તથા જડ વસ્તુઓમાં સ્વત્વબુદ્ધિ જાગ્રત કરાવે છે, અર્થાત અનન્યાસક્ત ને અન્યાસક્ત બનાવે છે. તથા ખોટા ખ્યાલોને સાચા મનાવે છે અને સાચાને ખોટા મનાવે છે. આ રીતે આ કર્મને લીધે, શુદ્ધ છતાં આત્મા અનેક ગૂંચવણોમાં પડી જાય છે અને તે એટલે સુધી કે એક ગૂંચવણમાંથી બીજી, ને બીજીમાંથી ત્રીજી, એમ તેની અનંત પરંપરાઓ ચાલે છે અને તે એટલે સુધી કે પછી પોતાનું સ્વરૂપ કેવું હશે, તેની ઝાંખી પણ આત્માને ભાગ્યે જ રહે છે. ભ્રમની અને ગૂંચવણની પરંપરાના કેટલાયે પડો ઉખેડે ત્યારે આત્મા કંઈક પોતાના સ્વરૂપમાં આવતો થાય છે. આ કર્મ ભારે મૂંઝવનારું અને આત્માનું અનિષ્ટ કરનારું છે. તેની જાળમાંથી છૂટવું, એ આત્મા માટે અતિ મુશ્કેલ છે. ઘણે વખતે, ને ઘણા પ્રયત્નોને પરિણામે તેમાંથી છૂટો થઈ શકે છે. તેનું નામ જ જુઓને, મોહનીયકર્મ–મોહ પમાડનારું કર્મ—મૂંઝાવનારું કર્મ.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy