SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ કર્મ-વિચાર ભાગ-૩ મારો પણ એ જ વિચાર છે. પણ વચ્ચે આ પ્રમાણે હકીકત સમજાવ્યા વિના એ હકીકત સમજાવવી મને જ ભારે પડતી હતી. એટલે હવે તે સમજાવું છું. મનુષ્ય આનુપૂર્વી નામકર્મના ઉદયથી જીવ ઉત્પત્તિ સ્થાને આવી પહોંચ્યો, કે તરત મનુષ્ય આયુષ્યકર્મે આયુષ્ય આપ્યું. મનુષ્યગતિ નામકર્મો મનુષ્યને યોગ્ય ગતિ પરિસ્થિતિ આપી. ઔદારિકશરીર નામકર્મે ઔદારિકવર્ગણા લેવાનો હક્ક કરી આપ્યો. આહારપર્યાપ્તિ નામકર્મે તે વર્ગણા ખેંચી. ખેચેલી તે વર્ગણાના પરમાણુઓ પરસ્પર સંઘાતનનામકર્મથી સંઘાતિત થયા. અને બંધન નામકર્મે પરસ્પર સ્કંધોને મેળવ્યા. ત્યાં સુધી વાત આવી છે. જ્યારે આ બધી ક્રિયા ચાલે છે, ત્યારે જ આહારપર્યાપ્તિ નામકર્મ ઉદયમાં આવીને તે ગ્રહણ (આહાર કરેલી) કરેલી વર્ગણાને આહાર યોગ્ય બનાવી તેનો રસ કરી છ વિભાગમાં વહેંચી નાંખે છે અને તે છ વિભાગોમાં છ જાતની જીવનક્રિયા ચલાવવા માટેની છ શક્તિ ઉત્પન્ન કરવા માંડે છે. પહેલા વિભાગમાં એવી શક્તિ ઉત્પન્ન કરે છે કે, ભવિષ્યમાં આહારને યોગ્ય જેટલી વર્ગણાઓ આવે તેને બરાબર આહારરૂપે બનાવી તેનો રસ બનાવે. બીજા વિભાગમાં એવી શક્તિ ઉત્પન્ન કરે કે, આહારમાંથી શરીરને યોગ્ય બનેલા રસમાંથી શરીર બનાવવા માંડે. શરીર બનતી વખતે, અંગોપાંગ નામકર્મ અંગ અને ઉપાંગપણે શરીરરૂપે બનેલ ભાગનાં અંગોપાંગો બનાવવા માંડે, તે જ વખતે નિર્માણ નામકર્મે તે અંગોનાં સ્થાનો અને એકંદર શરીરની બધી રચનાનો ચિતાર હોશિયાર સુતારની માફક વ્યવસ્થિત નક્કી કરી આપ્યું જ હોય, તે જ વખતે સંઘયણ નામકર્મ અને સંસ્થાન નામકર્મ શરીરની મજબૂતી તથા શરીરની આકૃતિ રચવા માંડે છે. તે જ વખતે વર્ણ નામકર્મ શરીરનો રંગ, ગંધ નામકર્મ ગંધ, રસ નામકર્મ સ્વાદ અને સ્પર્શ નામકર્મ કોઈ પણ જાતનો સ્પર્શ ઉત્પન્ન કરવા માંડે છે. અગુરુલઘુ નામકર્મ શરીર લોઢા જેવું ભાર ન થાય તેમજ રૂ જેવું હલકું
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy