________________
આ
હોય છે. ત્યારે પશ્ચિમના લેખકો વિસ્તૃત અને સ્પષ્ટ ગ્રંથ રચનાથી લખે છે. ફેરફારનું કારણ લેખકોના પોતપોતાના સમયની ગ્રંથલેખન પદ્ધતિ જ છે.
બીજો ફેર એ છે કે, પૂર્વના લેખકોએ તે તે સાયન્સને લગતા અમુક અમુક મુદ્દા ઉપર માત્ર ટૂંકામાં વિવેચન કર્યું હોય, અથવા એક બીજામાં ગતાર્થ કરીને ઉદાસીનતા બતાવી હોય. ત્યારે પશ્ચિમના લેખકોએ વળી અમુક અમુક મુદ્દા ઉપર ઘણો જ વિસ્તાર કર્યો હોય, અને બીજાને સંક્ષિપ્ત કે ગતાર્થ કર્યા હોય. આટલા ઉપરથી પણ ઉપર ટપકે જોનારને ભેદ જણાય. અથવા પશ્ચિમ હજુ કેટલાક નિયમો શોધી શકેલ નથી, હજી ઘણી શોધો ચાલુ છે. તેને અંગે ઘણા નિયમો જાણવામાં આવતા જાય છે. જે જે જાણવામાં આવે છે, તેને બહુ જ વિસ્તારથી અને સચોટ રીતે હાલનાં સાધનોથી બહાર પાડે છે. પછી તે નિયમો તે શાસ્ત્રની દૃષ્ટિથી સામાન્ય પ્રકારના હોય, અતિ મહત્ત્વના ન પણ હોય. ત્યારે પૂર્વના લેખકો બનતા સુધી અતિ મહત્ત્વના નિયમોને સૂત્રાત્મક શૈલીમાં બહાર મૂકે છે.
વળી સૌને મારું સારું ગમે છે. બીજાનું સારું છૂટકો નથી થતો ત્યારે કબૂલ કરે છે. તેનું કારણ મનુષ્યના પ્રજાકીય સ્વાર્થો, સત્તા, હકૂમતનો સ્વાર્થ, સર્વોપરિપણાનું માન ખાટવાની વૃત્તિ વગેરે છે. “જગતમાં જે કાંઈ માનવ બુદ્ધિકૃત વૈશિષ્ટય છે તે સકળ ગ્રીસના બુદ્ધિમાનોથી ઉપજ્ઞ છે.’’ આ નિયમ આજે કૂપમંડૂકપણું સૂચવે છે. કારણ કે ભારત વર્ષ તેમાં અનેક રીતે અપવાદભૂત છે, એમ અનેક રીતે સાબિત થઈ ચૂક્યું છે આમ છતાં ઘણી આગ્રહી વ્યક્તિઓ તે કબૂલ કરવાની ના પાડશે. એટલું જ નહીં પરંતુ કેટલાંક તો જાણીને પણ ના કબૂલ કરશે. કારણ કે આજે યુરોપ-અમેરિકાની પ્રજાની મનોવૃત્તિ વ્યાપારી મનોવૃત્તિ છે. વેપારીનો સ્વભાવ જ છે કે, એક જ કારખાનામાં બનેલો એક જ જાતનો માલ હોવા છતાં “હરીફની દુકાનના એ માલ કરતાં પોતાનો શ્રેષ્ઠ છે, અને પેલામાં અમુક અમુક ખામી છે” એમ બતાવ્યા વિના છૂટકો જ ન થાય. કારણ કે માલના ગુણદોષના વિવેચન સાથે તત્ત્વજ્ઞાનીની પેઠે વ્યાપારીને નિસબત હોતી નથી. તેને નિસબત વકરો કરી ગ્રાહક મેળવવાની અને નફો સંપાદન કરી આજીવિકા ચલાવવાના ઉદ્દેશ સાથે હોય છે. તેમ જ આજે યુરોપઅમેરિકાની પ્રજા બધી બાબતમાં “અમે’”નો કક્કો ઘૂંટે છે. પૂર્વમાં અમુક અમુક માનસશાસ્રના, કર્મશાસ્ત્રના અને અધ્યાત્મશાસ્ત્રના નિયમોમાંથી ફલિત થયેલી પ્રવૃત્તિઓ તે જ રૂપમાં અથવા યત્કિંચિત્ રૂપાંતર પામીને રૂઢિરૂપે પ્રવર્તતી