________________
પ્રવૃત્તિઓને વહેમો, રૂઢિઓ કહીને નિંદી કાઢે છે. અને તે કદાચ વિજ્ઞાનપૂર્વક સાબિત થાય તો પણ કબૂલ નહીં કરતાં—“ઠીક છે, બરાબર નથી, પદ્ધતિસર નથી, અમુક અમુક ખામીઓ છે'' વગેરે શબ્દોચ્ચારો તો સાંભળવા પડશે જ. પૂર્વની નાચનારીઓની ગમે તેટલી નિંદા કરી તેને જનસમાજમાંથી ઉતારી પાડ્યા પછી ‘રૉયલ ઑપેરા હાઉસમાં’ પૂર્વના નાચો દેખાડવા કેવી મોટી મોટી જાહેરાતો થાય છે ? તેવી જ રીતે ઘણી બાબતોના સંબંધમાં દાખલા જાહેર છે. મુદ્દો એક જ છે કે—“દુનિયાભરમાં જે સારું હોય, તે આપણે શીખી લેવું, અને તે આપણા દ્વારા જ જગતમાં આકર્ષક રીતે રજૂ થવું જોઈએ, તે રજૂ થતાં પહેલાં તેના પૂર્વવર્તી ઉસ્તાદો સ્થાનભ્રષ્ટ અને માનભ્રષ્ટ થઈ જવા જોઈએ. પછી તે સત્તાથી, નિંદાથી કે ગમે તે રીતે થાય.” તેમાં દરેક ગોરી પ્રજાનો ભાગ છે. આટલા જ કારણથી આજે પૂર્વની વિદ્યાઓ કરતાં નાનામાં નાની પશ્ચિમની શોધ વધારે જગબત્રીશીએ ચડે છે. એટલા ઉપરથી “પૂર્વની વિદ્યાઓમાં કાંઈ નથી, પૂર્વના લોકો કશું જાણતા ન હતા કે નથી જાણતા’’ એમ આપણે માનવાનું નથી. તથા “ધર્મને નામે વહેમો ચાલે છે, પદ્ધતિસર નથી,’’ એ વગેરે દલીલો આપણે સાંભળવાની નથી. કારણ કે, તે બધી સ્વાર્થપ્રયુક્ત છે. સ્વાર્થી માણસો એમ બોલે એ પણ સ્વાભાવિક છે. આપણે પણ એક (આર્ય) પ્રજા છીએ. આપણને પણ આપણા સ્વાર્થી હોય છે માટે ભોળવાઈને વિના કારણ આપણી વિદ્યાને અને આપણા વિદ્વાનોને આપણે નિંદતા થઈ ન જવું જોઈએ. જ્યારે નિખાલસ ભાવથી જગતના પદાર્થોની સમાલોચના થાય ત્યારે જેમ હોય તેમ યથાર્થ સ્વીકા૨ ક૨વામાં વાંધો નથી. એટલું જ નહીં પરંતુ આપણી વાસ્તવિક ભૂલ હોય તે પણ કબૂલ કરવામાં વાંધો નથી. પરંતુ આપણી ભૂલ બતાવવી, તેના તરફ `અણગમો ઉત્પન્ન કરવો, પોતાની ભૂલો છુપાવવી, અને રચનાત્મકતા તરફ વધારેમાં વધારે માન ઉત્પન્ન કરવું. આ બધી સ્વાર્થવૃત્તિ હોય, ત્યારે આપણે પણ સત્ય ખાતર અને આપણા પોતાના સ્વાર્થ ખાતર ચેતવું જોઈએ. આ દૃષ્ટિબિંદુથી આપણો ભારતવાસીઓનો આજકાલ.એ જ ધર્મ છે કે, એક વખત તો આપણે આપણું આપણી રીતે સમજવું જોઈએ. પહેલેથી જ ચાલતી ગાડીમાં ન ચઢી બેસવું જોઈએ. એ દૃષ્ટિબિંદુથી આ ગ્રંથો પ્રાચીન લેખકોને સમજવામાં પ્રજાને મદદગાર થાય માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે. એ ઉદેશની સર્વપ્રકારે સફળતા થાઓ !!! એમ ઇચ્છી વિરમું છું.
લિ યોજક