________________
માનસશાસ્ત્ર અને તેના કેટલાક ચોક્કસ નિયમો શોધાયા છે, એટલેથી પણ સંશોધકોને સંતોષ નથી થયો. કારણ કે દરેક રીતે સમાન પરિસ્થિતિની બે વ્યક્તિઓના જીવનમાં પણ તફાવત જોવામાં આવવા લાગ્યો, સમાન સ્થિતિના બે ભાઈઓમાં–એક જુદી જ પરિસ્થિતિમાં રહેવા લાગ્યો, ત્યારે બીજો વળી તેનાથી તદ્દન જુદી જ પરિસ્થિતિમાં. એક, જીવનસંગ્રામમાં આવી પડતાં વિઘ્નો સામે તજવીજથી સામે થાય છે, તેમ તેમ તેના પર કષ્ટોનાં વાદળ તૂટી પડે છે. જયારે બીજો, વિઘ્નો અંતે કષ્ટોનાં મોંમાં હોમાય છે, છતાં ચમત્કારિક રીતે તે તેમાંથી બચી જાય છે. આવા આવા ઘણા પ્રયોગો અને દાખલાઓ ઉપરથી પશ્ચિમના સાયન્સ પણ કર્મશાસ્ત્રને લગતા ઘણા નિયમો તારવ્યા છે. અને પ્રાર્થના, યોગ્ય તાલીમ વગેરે તેના પ્રતિકારના નિયમો પણ તારવ્યા છે.
એક જણને તાવ આવે, ત્યારે તેનો પ્રતિકાર કરવા વૈદ્ય-ડૉક્ટરની તરત સગવડ મળે છે. અને બીજા માટે, કાં તો તે બહારગામ ગયા હોય, કે બીજા દર્દીને જોવા ગયા હોય, અથવા એકને બદલે બીજો રોગ સમજાય, કે રોગને બંધબેસતી દવા જ ન યાદ આવે. પરિણામે અલ્પરોગી પણ મરણને શરણ થઈ જાય છે. આ સ્થિતિમાં તે વ્યક્તિના પૂર્વકૃત બધી બાહ્ય સામગ્રી ઉપર અસર પાડતા હોય છે. તે સિવાય બીજું શું સાબિત થાય છે?
તેવી જ રીતે, ચાલ જીવનમાં ગમે તેવી ભયંકર ભૂલો કરીને ભયંકર રોગમાં સપડાયેલી બેદરકાર વ્યક્તિને અનાયાસે જ અનુકૂળ સામગ્રીઓ મળતી જાય છે, અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. આ દાખલામાંયે તેના પૂર્વતની અસર માન્યા વિના ચાલશે નહીં.
આવા પુષ્કળ પ્રયોગો અમેરિકા વગેરે દેશોમાં સંશોધકોએ ઉપયોગમાં લીધા છે, અને કર્મને લગતા નિયમો તારવ્યા છે.
પૂર્વનું અને પશ્ચિમનું સાયન્સ વસ્તુતાએ અમુક રીતે તો એક જ છે. કારણ કે તે પૂર્વની કે પશ્ચિમની માલિકીનું નથી. તે તો બધું કુદરતના જ ભંડારનો ખજાનો છે. ફેર માત્ર એટલો જ છે કે, પૂર્વની ગ્રંથરચના સંક્ષિપ્ત અને ગંભીર છે. ઊંડા અભ્યાસને પરિણામે તેમાંથી તાત્પર્ય સમજાય છે, પરંતુ સમજાય ત્યારે એવું આશ્ચર્યકારક સમજાય, કે જરૂર અભ્યાસી તેના ઉપર મુગ્ધ જ થાય. કારણ કે તેમાં ચોકસાઈ અને બીજા અવાંતર નિયમો તટસ્થપણે સૂચિત કરવાની ગોઠવણ