________________
આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અન્તરાયકર્મ ૨૦૫
અને જો ધારે તો તેમાંથી જેટલા ફાયદા મેળવવા હોય તેટલા મેળવી શકે. તથા જો ધારે તો આખા જગતને ઊથલપાથલ કરી શકે. તેટલી પ્રત્યેક આત્મામાં શક્તિ છે.
અહો ! હો ! આટલું બધું આત્માનું સામર્થ્ય ? શું આત્માનું ખરેખર એટલું બધું સામર્થ્ય છે ?
હા.
એવું સામર્થ્ય કોઈ બતાવતું હશે ?
ના. તેવું છેવટનું સામર્થ્ય બતાવવાની કોઈને જરૂર પડતી નથી. પણ વચ્ચેનું સામર્થ્ય બતાવવાના ઘણા દાખલા પ્રાચીન કથાઓમાં, અને કોઈ કોઈ વાર હાલના બનતા બનાવોમાં પણ આપણે જોઈ શકીએ ખરા.
જેમકે, આ ચંપકલાલને જેટલી સુખસગવડો છે, તેટલી આ શાંતિલાલને નથી જ ને ?
ના. નથી જ.
તેવી જ રીતે જેટલી સુખસગવડો આપણા શહેરના રાજાને છે, તેટલી ચંપકલાલને પણ ક્યાં છે ?
આ રીતે, સુખસગવડ અને ભોગ તથા ઉપભોગનાં સાધનોમાં અનેક ફેરફાર જોવામાં આવે છે, તેનું કારણ શું ?
દરેક આત્માઓ સરખા છે અને દરેકને જગતની દરેકેદરેક વસ્તુઓનો ભોગ તથા ઉપભોગ કરવાની સત્તા છે. છતાં એક વધારે ભોગ તથા ઉપભોગોનો લાભ લઈ શકે છે, અને બીજો ઓછાનો. તેનું કારણ શું ? તેનું કારણ આ અંતરાયકર્મ છે. ત્યારે એમ થયું કે, જે ઓછો ભોગ તથા ઉપભોગ ભોગવી શકે છે તેને અંતરાયકર્મ, અને જે વધારે ભોગવી શકે છે, તેને અંતરાય કર્મ નહીં, એમ જ કે ?
ના. એ નિર્ણય બરાબર નથી.
ત્યારે શી રીતે છે ?
બન્નેને અંતરાયકર્મ છે.
શી રીતે ?
જે વધારે ભોગ તથા ઉપભોગ ભોગવે છે તેને જોકે ભોગોપભોગ વધારે