SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ કર્મ-વિચાર ભાગ-૩ આ વર્ગ પડવાનું મૂળ કારણ ગોત્રકર્મ છે. આત્મા હંમેશ નિર્લેપ છતાં તેની ઊંચા કે નીચ તરીકે ગણના થાય છે, તે આ ગોત્રકર્મને લીધે. તેથી ગોત્રકર્મના મુખ્ય બે પ્રકાર છે. કર્મનું નામ તેનું ફળ ૪૯. ઊંચ ગોત્રકર્મ જીવ ઉચ્ચ-માનપાત્ર શબ્દોથી બોલાવાય છે. ૫૦. નીચ ગોત્રકર્મ જીવ નીચ શબ્દોથી બોલાવાય છે. દરેક જીવ વસ્તુતઃ સમાન સ્વભાવના છતાં આ ભેદ આ ગોત્રકર્મને લીધે છે. મનુષ્યોમાં પણ આવા ભેદો છે, અને તે આ કર્મને લીધે છે. નહીં કે મનુષ્યોએ પોતાની બુદ્ધિથી કલ્પી કાઢેલા છે. આ વાત આ દેશના તેમ જ બહારના દેશના અનેક વિદ્વાનો માને છે. આમ છતાં અને દુનિયાના વ્યવહારો આ વ્યવસ્થા ઉપર ચાલતા, ચલાવાતા હોવા છતાં, તેમાં ઊંચા ગોત્રી અભિમાન કરે, કે નીચગોત્રી મનમાં ખેદ ધારણ કરે, વળી તેમાં એકબીજાને નિમિત્ત ગણે, તો પોતપોતાના મોહનીય કર્મને વધારે બળવાન બનાવે છે, અને તેથી તે આત્માને જરૂર ગેરફાયદો કરે છે. કેમકે એવી અયોગ્ય લાગણીઓથી અયોગ્ય કર્મ બંધાય છે અને અયોગ્ય કર્મ બંધાવાથી આત્માને તેનાં અયોગ્ય પરિણામો ભોગવવાં પડે છે. લાગણીઓ એટલે અધ્યવસાયસ્થાનકો અને યોગ એ કર્મબંધના કારણ છે. આ વાત પહેલા ભાગમાં શીખી ગયા છો. હા, જી. બરાબર છે. કર્મને લીધે થયેલી આ પરિસ્થિતિ માટે પરસ્પરને દોષ દઈને અભિમાન કરવું, કે ખેદ કરવો એ નકામાં છે. બાકી તો ઉપર પ્રમાણે વ્યવહારની વ્યવસ્થા યથાયોગ્ય રીતે સમાન ભાવે ચલાવવામાં વાંધો શો? ૭. વળી આપણે આત્મસ્વરૂપના પાઠમાં શીખી ગયા છીએ કે આત્મા ધારે તો આખું જગત પોતાના ભોગમાં તેમ જ ઉપભોગમાં લઈ શકે. તેવી જ રીતે ઇચ્છા થાય, તો બધું જગત બીજાને આપી ઈ શકે એટલે તેનો સર્વથા ઇચ્છાપૂર્વક પોતે ત્યાગ કરી શકે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy