SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની શક્તિઓને ઢાંકનાર કર્મો ૧૮૫ તે વખતે તમારો વધી ગયેલો અનુભવ છેવટની હદનો તો નહીં હોય ને ? છેવટની હદનો ત્યારે ગણાય કે તમારાથી બીજો કોઈ વધારે અનુભવી-જ્ઞાની દુનિયામાં ન હોય ! એમ કેમ બને ? તે વખતે પણ મારાથી મહાન મહાન અનુભવી અને વિશાળ જ્ઞાનશક્તિ ધરાવનારા ઘણાયે હશે. તમે તેવા થવા પ્રયત્ન કરો તો થઈ શકો ખરા ? હા, જી. પ્રયત્નથી તેમ પણ થવાય. તો પછી એ રીતે વધતાં વધતાં તમારું જ્ઞાન વધવા ધારે તો કેટલું વધી જઈ શકે ? એ શી રીતે કહી શકાય ? કેમ ન કહી શકાય ? બેધડક થઈને કહો કે— “વિશ્વમાં એક પણ ભાવ, પદાર્થ કે ચીજ એવી ન રહી જાય કે જે મારા જાણ્યા બહાર હોય, તેટલી હદ સુધી જ્ઞાનશક્તિ વધી વધીને વધી જાય.'' શું એ થાય ખરું ? તમે જો ને ? તમારી અક્કલમાં ઊતરે છે કે નહીં ? તો ખરી લાગે છે. અત્યારે કલકત્તામાં શું થતું હશે ? તે કહેશો ? આપની પરંતુ, ના, જી. કેમ ? તમાકનમાં આટલી બધી વિશ્વ જાણવાની શક્તિ છે. તો પછી આટલું કેમ ન શકો ? શક્તિ ખીલી - થી. એ શક્તિ કોણે દબાવી છે ? તેને દબાવનાર કોઈ કર્મ હોવું જોઈએ. બસ ત્યારે. આ રીતે તમારો પણ આત્મા અગાઉ કહેલી અને બીજી
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy