________________
મળી શકે છે.
તેમાં સામાન્ય રીતે સરળતાથી પ્રવેશ કરવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શક રૂપે આ કર્મવિચાર નામના ગ્રંથના જુદા જુદા ભાગો રચવામાં આવેલા છે.
પહેલા ભાગની આ ત્રીજી આવૃત્તિ છે. બીજા ભાગની બીજી આવૃત્તિ છે. અને ત્રીજા ભાગની બીજી આવૃત્તિ પ્રસંગે કાઢવાની ધારણા છે. અને તક મળશે, તો આગળના ભાગો તૈયાર કરવાની પણ ભાવના છે.
આ નવી આવૃત્તિમાં કેટલોક વધારો, તથા, કેટલુંક સ્પષ્ટીકરણ વધારવામાં આવેલ છે. તે આ પુસ્તકના પહેલાના વાચકો જોઈ શકશે.
જેમ બને તેમ સરળતા કરવા પ્રયાસ કર્યો છે. છતાં વિષયની ગંભીરતાને લીધે ક્યાંક કઠિનતા કે અસ્પષ્ટતા રહેવા પામી હશે. તે તરફ અમારું લક્ષ્ય દોરવાથી હવે પછી તેમાં ઘટતો ફેરફાર કરીશું.
આ કર્મવિચાર લખવામાં બહારનાં દષ્ટાંતો લેવા પડે છે અને વિદ્યાર્થીઓને સમજાવવા માટે અનેક કલ્પિત ઘટનાઓ ઘટાવવી પડે છે. એમ કરવા જતાં કર્મશાસ્ત્રના અભિપ્રાયોથી કાંઈ વિપરીત બનતું હોય, તો તે દોષથી અમો અમારા અંતઃકરણને મુક્ત રાખવા ઇચ્છીએ છીએ. જેમ તેમ કરીને શાસ્ત્રોથી વિરુદ્ધ જઈ પ્રતિપાદન કરવાની અમારી ઇચ્છા નથી. માત્ર સમજૂતી ખાતર નિર્દોષભાવે પ્રયાસ કરવા જતાં પણ કોઈ દોષના ભાગીદાર થવાતું હોય તો તેની ક્ષમા યાચી વિરમીએ છીએ.
'
કરાર કરીશું.
ગોલવાડા : મહેસાણા : ૨૦૦૪ : ફાગણ શું.૮
પ્રભુદાસ બેચરદાસ પારેખ