SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ લાંબા કાળે તે સમજાય છે. ૪.૧૧૬. એવું કોઈ પણ નાનું કે મોટું કર્મ નથી, કે જેનું ફળ ભોગવ્યા વિના રહી શકાય છે. ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે પણ કર્મનો નાશ થાય છે, ત્યારે જ તે રોગ મટે છે.” ૪.૧૧૭. આ રીતે કર્મના સંબંધમાં વૈજ્ઞાનિક ભૂમિકા ઉપરના ઉલ્લેખો મળી આવે છે. પરંતુ, જૈનશાસ્ત્રોમાં કર્મના વિજ્ઞાન વિશે બહુ જ મોટા મોટા ગ્રંથો છે. પ્રાચીન સાહિત્યમાં જે ગ્રંથોનાં નામો મળે છે તેની શ્લોકોની સંખ્યા મેળવીએ, તો કરોડોની સંખ્યા થાય છે. પરંતુ તે જવા દઈને, આજે કર્મ વિશેના મળતા સાહિત્યના ગ્રંથોની બ્લોકસંખ્યા ગણીએ તો તે પણ લાખોની સંખ્યામાં થવા જાય છે. એટલું વિશાળ પાયા ઉપર કર્મના વિચારોને લગતું સાહિત્ય આજે વિદ્યમાન છે. કર્મને લગતી બારીકમાં બારીક વાતો તેમાં એટલી બધી છે કે જિંદગીભર તેનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવામાં આવે, તો પણ પૂરો થાય તેમ નથી. જૈનશાસ્ત્રોમાં કર્મના વિચારને લગતું સાહિત્ય માનો કે આખા જગતના ક્ષણેક્ષણના નાના મોટા તમામે તમામ ત્રિકાળમાં બનતા બનાવોનાં કારણો અને સંજોગોનું એક ચોક્કસ માપકયંત્ર થ૨મામીટર હોય તેમ જણાય છે. દૃશ્ય જગતના દરેકેદરેક પદાર્થોની વિવિધ પરિસ્થિતિઓનાં કારણોનું તો સંપૂર્ણ માપ પૂરું પાડે છે. “અમુક માણસ કાળો કેમ ? ઠીંગણો કેમ ? ઊંચો કેમ ? આંધળો કેમ ? કાંણો કેમ ? ઝાડનાં પાંદડાં લીલાં કેમ ? મરચું તીખું કેમ ? શેરડી ગળી કેમ ? પક્ષી ઊડે છે કેમ ? સૂર્ય તપે છે કેમ ? ચંદ્ર શીતળ કેમ ? પાણી પ્રવાહી કેમ ? અને મધમાખી આટલી હોશિયાર કેમ ?' તે દરેકનાં કારણો પદ્ધતિસર જૈન કર્મગ્રંથનો પ્રખર અભ્યાસી બરાબર કહી શકે. તેમાં ફેરફાર કેમ કરી શકાય ? કયા કર્મની અસર કેમ ભૂંસી શકાય ?” તેના ઉપાયોનો ક્રમ પણ તે પદ્ધતિસર બતાવી શકે છે. આટલી ઝીણવટ એ ગ્રંથોમાં અતિ સંક્ષેપમાં છતાં અતિ વિશાળતાથી
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy