SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધરૂપે વર્ણવાયેલ છે. કર્મ શબ્દના બે અર્થ તો ભાષાશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે : ૧. કર્મ એટલે ક્રિયા, પ્રવૃત્તિ ૨. કર્મ એટલે કર્તાએ કરેલી ક્રિયાનું ફળ જેને લાગુ પડે છે. જેમકે–દોડવું, જવું, ખાવું વગેરે ક્રિયારૂપ કર્મ છે. અને “છોકરો કાચ ભાંગે છે.” “છોકરો લાડુ ખાય છે.” વગેરેમાં કાચ કે જેના ઉપર ભાંગવાની તૂટવાની-ભંગાણ થવારૂપ અસર થાય છે. અને લાડ, કે જેના ઉપર ખવાવાની ક્રિયાની-ખવાઈ જવારૂપ અસર થાય છે. તેથી તે કાચ અને લાડુ કર્મો છે. ત્યારે વૈદિક સાહિત્ય - ક્રિયારૂપે કરાતી પ્રવૃત્તિને ક્રિયમાણ કર્મ કહે છે. અને તે સંચિત થાય છે અને કાળાંતરે તે ફળ બતાવે છે. ત્યારે તે પ્રારબ્ધરૂપે કહેવાય છે. ત્યારે “સંચિત એટલે શું એકઠું થાય છે?” ક્યાં એકઠું થાય છે? કેવી રીતે તે ફળ બતાવે છે ? પ્રારબ્ધરૂપે કેમ બને છે ?” આ વગેરે પ્રશ્નોના કશાયે વિગતવાર ખુલાસા જણાતા નથી. કાં તો તે જાતનું સાહિત્ય નષ્ટ થયું હોય, તો પણ કેટલાક ફકરા આજે મળવા જોઈએ. પરંતુ તેમાંનું કાંઈ જણાતું નથી. ભારતના પ્રાચીન વૈદક ગ્રંથ ચરકસંહિતામાં પણ કર્મની વાત કાંઈક વિગતવાર આપી છે, અને “પૂર્વભવના કર્મને લીધે થતા રોગો કર્મના ક્ષયથી જ નાશ પામે છે.” એમ પણ જણાવ્યું છે. નિર્દિષ્ટ દૈવ-શબ્દન કર્મ યત પૌવદહિકમ્ હેતુસ્તદપિ કાલેન રોગાણામુપલભ્યતે ૪.૧૧૬. નહિ કર્મ મહતું કિંચિત્ ફલ યસ્ય ન ભજ્યતે | ક્રિયાના કર્મજા રોગાઃ પ્રશાં યાન્તિ તત્ યાત્ ૪.૧૧૭. અર્થ:- “પૂર્વ ભવના શરીરથી કરાયેલું અને દેવને નામે ઓળખાતું કર્મ પણ રોગોનું કારણ બને છે, પરંતુ જયારે કર્મો ફળરૂપે ભોગવાય, ત્યારે
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy